January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ઉમરકૂઇ ગામના એક ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીની જૂની/પુરાણી પ્રણાલી છોડી આધુનિક ઢબથી ખેતી તરફ વળ્‍યા છ. શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીમાં સિંચાઈ માટે ટપકપદ્ધતિ તથા મલ્‍ચિંગ અને હાઈબ્રીડ બિયારણ વાપરી તરબૂચનો મબલક પાક ઉતારી બહોળી આવક રળી છે. શ્રી ગણેશભાઈએ હેક્‍ટર દીઠ 60 ટન જેટલું તરબૂચનું ઉત્‍પાદન મેળવી રૂા.છલાખનો નફો મેળવ્‍યો છે. ઉનાળાની સીઝનમાં તરબૂચની માંગ વધતા બજારભાવ પણ સારા હોવાથી ખેડૂતો તડબૂચની ખેતી તરફ વળ્‍યા છે.
ઉમરકૂઇ ગામના યુવાન પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરીયાએ પી.ટી.સી. અને બી.એ. સુધીનો અભ્‍યાસ કર્યો છે. તેમણે ત્રણ એકરમાં તરબૂચની ખેતી કરી પોતાની આર્થિક આવક બમણી કરી છે. પ્રદેશના બેરોજગાર યુવાનોને અપીલ કરતા જણાવ્‍યુ કે તરબૂચની ખેતી વડે સારો નફો મેળવી શકાય છે. પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરીયાઅ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અભિયાનમાં ભાગીદાર બનવા અનુરોધ પણ કર્યો છે. અગાઉના સમયમાં એમની ખેતી આકાશી વરસાદ આધારિત હતી ચોમાસામા ડાંગર સિવાય કોઈ ખેતી થતી ન હતી હવે ટપકસિંચાઈ પદ્ધતિ અપનાવતા હોવાથી વર્ષમાં બે વખત પાક લઈ શકે છે.

Related posts

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

vartmanpravah

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ સંદર્ભે દાનહ વેપારી એસોસિએશને રેલી કાઢી કલેક્‍ટર ભાનુ પ્રભાને આપેલું આવેદનપત્ર

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

Leave a Comment