Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ઉમરકૂઇ ગામના એક ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીની જૂની/પુરાણી પ્રણાલી છોડી આધુનિક ઢબથી ખેતી તરફ વળ્‍યા છ. શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીમાં સિંચાઈ માટે ટપકપદ્ધતિ તથા મલ્‍ચિંગ અને હાઈબ્રીડ બિયારણ વાપરી તરબૂચનો મબલક પાક ઉતારી બહોળી આવક રળી છે. શ્રી ગણેશભાઈએ હેક્‍ટર દીઠ 60 ટન જેટલું તરબૂચનું ઉત્‍પાદન મેળવી રૂા.છલાખનો નફો મેળવ્‍યો છે. ઉનાળાની સીઝનમાં તરબૂચની માંગ વધતા બજારભાવ પણ સારા હોવાથી ખેડૂતો તડબૂચની ખેતી તરફ વળ્‍યા છે.
ઉમરકૂઇ ગામના યુવાન પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરીયાએ પી.ટી.સી. અને બી.એ. સુધીનો અભ્‍યાસ કર્યો છે. તેમણે ત્રણ એકરમાં તરબૂચની ખેતી કરી પોતાની આર્થિક આવક બમણી કરી છે. પ્રદેશના બેરોજગાર યુવાનોને અપીલ કરતા જણાવ્‍યુ કે તરબૂચની ખેતી વડે સારો નફો મેળવી શકાય છે. પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરીયાઅ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અભિયાનમાં ભાગીદાર બનવા અનુરોધ પણ કર્યો છે. અગાઉના સમયમાં એમની ખેતી આકાશી વરસાદ આધારિત હતી ચોમાસામા ડાંગર સિવાય કોઈ ખેતી થતી ન હતી હવે ટપકસિંચાઈ પદ્ધતિ અપનાવતા હોવાથી વર્ષમાં બે વખત પાક લઈ શકે છે.

Related posts

વાપી ડેપોના ડ્રાઇવર-કંડક્‍ટરે ફરી એકવાર પ્રમાણિકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્‍યું

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

vartmanpravah

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

Leave a Comment