January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

જન કલ્‍યાણ યોજના પ્રચાર અભિયાન અને દામિની મહિલા ફાઉન્‍ડેશનના સહયોગથી ‘‘રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા મિશન” અંતર્ગત નાની દમણ દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન કાર્યાલયમાં મહિલાઓને ભારત સરકારની લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવા યોજાયો કાર્યક્રમ

જન કલ્‍યાણ યોજના પ્રચાર અભિયાનના અધિકારીઓએ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહિલાઓને PMFME લોન, SEP લોન અને મુદ્રા લોન વિશે આપેલી વિસ્‍તૃત માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન કલ્‍યાણ યોજના પ્રચાર અભિયાન અને દમણ ખાતેની દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના સહયોગથી ‘‘રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા મિશન” અંતર્ગત લોક કલ્‍યાણની યોજનાઓની માહિતી આપવા માટે આજે સાંજે 4:00 વાગ્‍યાના અરસામાં નાની દમણ સ્‍થિત દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના કાર્યાલયમાં જિલ્લાની મહિલાઓ માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે નુલ્‍મહેડ(સાઉથ-વેસ્‍ટ દિલ્‍હી) શ્રી નવીન કોટિયા અને રાષ્‍ટ્રીય જન કલ્‍યાણ યોજના પ્રચાર અભિયાનના અધ્‍યક્ષ શ્રી રાજ મણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે દામિની મહિલા ફાઉન્‍ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્‍પલ કાટેલા અને શ્રીમતી તરુણા પામસી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે જન કલ્‍યાણ યોજના પ્રચાર અભિયાનના લોકોએ ઉપસ્‍થિત મહિલાઓને PMFME લોન, SEP લોન અને મુદ્રા લોન વિશે વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ દરમિયાન જણાવવામાં આવ્‍યું કે આ રીતે મહિલાઓ તેમના ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે ઘણી યોજનાઓનો લાભ લઈ શકે છે.
દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્‍પલ કાટેલાએ જણાવ્‍યું હતું કે, આપણાં દેશના સફળ અને યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઘણી લોક કલ્‍યાણ યોજનાઓ અમલમાં મૂકી છે જેથી દરેક વર્ગના લોકો આ યોજનાઓનો લાભ લઈ શકે. આ સાથે, ઘણી યોજનાઓ માટે લોનની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે, જેથી દરેક વ્‍યક્‍તિ લોન લઈને પોતાનો સ્‍વતંત્ર વ્‍યવસાય શરૂ કરી શકે તે હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દરેક યોજનાનો મહિલાઓએ લાભ લેવો જોઈએ.

Related posts

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ઉદવાડા-પરિયાના આધાર ટ્રસ્‍ટ ખાતે ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જા મુદ્દે પ્રશાસન એક્‍શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ

vartmanpravah

ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગ સાથે ક્‍વોરી એસોસિએશનની કોર કમિટિની યોજાયેલ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા ચીખલી સહિત રાજ્‍યના ક્‍વોરી ઉદ્યોગોની હડતાળ યથાવત્‌

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

Leave a Comment