August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

સેલવાસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રગટ કરેલા વિશ્વાસ બાદ ભારતના રાષ્‍ટ્રપતિએ પણ ફરી એકવાર મારેલી મહોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.19 : ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ કવરત્તી ખાતે યોજાયેલા નાગરિક સત્‍કાર સમારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને પ્રશંસા કરી હતી.
શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા બાળકોના શિક્ષણથી લઈ આરોગ્‍ય સેવાને સઘન કરવા લીધેલાં પગલાંથી પણ પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી.તેમણે પ્રશાસનના વોટર વિલા બનાવવાના પ્રસ્‍તાવ ઉપર પણ મહોર મારી વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, આવતા દિવસોમાં લક્ષદ્વીપ ભારત દેશ અને વિશ્વ ક્ષેત્રે પણ શિક્ષણ ઉપરાંત રમત-ગમત સહિત અનેક ક્ષેત્રે પોતાનું નામ રોશન કરશે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિ ઉપર સેલવાસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રગટ કરેલા વિશ્વાસ બાદ ભારતના રાષ્‍ટ્રપતિએ પણ ફરી એકવાર મહોર મારી છે.

Related posts

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment