September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

ચાલુ માસમાં રૂા.1.23 કરોડ સાથે કુલ રૂા.15 કરોડથી વધુની વસૂલાત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અભિયાનને વેગ આપવા બાકીદારોની 8 ઓફિસ તથા 1 ગેરેજને તાળું મારવા ઉપરાંત સુલપડની બે ચાલીના નળ જોડાણ કાપવામાં આવ્‍યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્‍સ્‍પેકટર દીપક ચભાડીયા તથા ક્‍લાર્ક શશીકાંતની ટીમે વાપીના પૃથ્‍વી કોર્નરમાં 1, સાઈ કોમ્‍પલેક્‍સમાં 2, હીના આર્કેડમાં 2, અનમોલ ટાવરમાં 2, શોપર્સ સ્‍ટોપમાં 1 ઓફિસ મળી કુલ 8 ઓફિસ તથા અમલ કોમ્‍પ્‍લેક્ષમાં 1 ગેરેજને તાળું મારવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સુલપડ વિસ્‍તારના ચાલીના રૂમોના માલિકોને લાંબા સમયથી બાકી ઘરવેરો ભરવા નોટિસો આપવામાં આવી હતી. પરંતુ વેરો ભરવામાં ઉદાસીન રહેતા પાણી વિભાગ દ્વારા બે ચાલીના નળ જોડાણ કાપવામાં આવ્‍યા હતા. ઘરવેરા વિભાગ દ્વારા હાલમાં ચલા વિસ્‍તારની આઠ સોસાયટીઓના ઘણા ફલેટ માલિકોએઘરવેરો ભર્યો ના હોય ત્રણ દિવસમાં ભરી જવાની નોટીસ આપી છે. જો સોસાયટીનો વેરો નહી ભરાય તો નળ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાપી પાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે અત્‍યાર સુધીમાં રૂા.1507.89 લાખની વસૂલાત કરી 87.32 ટકા રીકવરી કરી છે. પાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ માસમાં અત્‍યાર સુધીમાં રૂા.1.23 કરોડની વસૂલાત કરવામાં સફળતા મેળવી છે.

Related posts

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી મોહિની જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.25: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્‍થાનના કલાકારોને પરંપરાગત નૃત્‍યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્‍તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્‍તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્‍વાગત સાથે ઉપસ્‍થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્‍ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું.

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

Leave a Comment