Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

ચાલુ માસમાં રૂા.1.23 કરોડ સાથે કુલ રૂા.15 કરોડથી વધુની વસૂલાત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અભિયાનને વેગ આપવા બાકીદારોની 8 ઓફિસ તથા 1 ગેરેજને તાળું મારવા ઉપરાંત સુલપડની બે ચાલીના નળ જોડાણ કાપવામાં આવ્‍યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્‍સ્‍પેકટર દીપક ચભાડીયા તથા ક્‍લાર્ક શશીકાંતની ટીમે વાપીના પૃથ્‍વી કોર્નરમાં 1, સાઈ કોમ્‍પલેક્‍સમાં 2, હીના આર્કેડમાં 2, અનમોલ ટાવરમાં 2, શોપર્સ સ્‍ટોપમાં 1 ઓફિસ મળી કુલ 8 ઓફિસ તથા અમલ કોમ્‍પ્‍લેક્ષમાં 1 ગેરેજને તાળું મારવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સુલપડ વિસ્‍તારના ચાલીના રૂમોના માલિકોને લાંબા સમયથી બાકી ઘરવેરો ભરવા નોટિસો આપવામાં આવી હતી. પરંતુ વેરો ભરવામાં ઉદાસીન રહેતા પાણી વિભાગ દ્વારા બે ચાલીના નળ જોડાણ કાપવામાં આવ્‍યા હતા. ઘરવેરા વિભાગ દ્વારા હાલમાં ચલા વિસ્‍તારની આઠ સોસાયટીઓના ઘણા ફલેટ માલિકોએઘરવેરો ભર્યો ના હોય ત્રણ દિવસમાં ભરી જવાની નોટીસ આપી છે. જો સોસાયટીનો વેરો નહી ભરાય તો નળ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાપી પાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે અત્‍યાર સુધીમાં રૂા.1507.89 લાખની વસૂલાત કરી 87.32 ટકા રીકવરી કરી છે. પાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ માસમાં અત્‍યાર સુધીમાં રૂા.1.23 કરોડની વસૂલાત કરવામાં સફળતા મેળવી છે.

Related posts

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

વલસાડમાં તા.28 નવેમ્‍બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્‍સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે

vartmanpravah

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

vartmanpravah

દમણ ન.પા. દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું થનારૂં વેચાણ

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment