October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

દમણ દાભેલના સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ અને સ્‍વ. રૂખીબેન ભગવાનભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા કરાયેલું ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : પવિત્ર ચૈત્ર નવરાત્રિમાં નાની દમણ દાભેલ ખાતે પિતા સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ તથા માતા સ્‍વ. રૂખીબેન ભગવાનજીભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન 22મી માર્ચથી 28મી માર્ચ સુધી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ(ખેરગામવાળા)ના સાંનિધ્‍યમાં કરવામાં આવી રહ્યું છે.
કથાના મુખ્‍ય યજમાન તરીકે શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી દિપકભાઈ કાલીદાસભાઈ પટેલ દ્વારા લ્‍હાવો લેવામાં આવશે. કથામાં દરરોજ માતાજીના પ્રસંગોની ભવ્‍ય રીતે ઉજવણી કરાશે. કથાનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો છે. કથામાં પધારવા માટે પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ દ્વારા ભાવિક ભક્‍તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

વલસાડની યુવતી સાથે મિત્રતા કેળવી અશ્‍લિલ વીડિયો બનાવી બ્‍લેક મેઈલ કરતો હૈદરાબાદનો આરોપી ઝડપાયો

vartmanpravah

દાનહ અને દમણ દીવ જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ કાર્યક્રમ 2.0 અંતર્ગત કરાયેલી સ્‍વચ્‍છતા

vartmanpravah

દુનિયાભરમાં નવીનતમ SARS-Cov-2 (Omicron) કેસોના નવા સ્વરૂપોના રિપોર્ટને ધ્યાનમાં રાખીને ભારત આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સંશોધિત દિશાનિર્દેશ જારી કરે છે

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

Leave a Comment