Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

દમણ દાભેલના સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ અને સ્‍વ. રૂખીબેન ભગવાનભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા કરાયેલું ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : પવિત્ર ચૈત્ર નવરાત્રિમાં નાની દમણ દાભેલ ખાતે પિતા સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ તથા માતા સ્‍વ. રૂખીબેન ભગવાનજીભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન 22મી માર્ચથી 28મી માર્ચ સુધી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ(ખેરગામવાળા)ના સાંનિધ્‍યમાં કરવામાં આવી રહ્યું છે.
કથાના મુખ્‍ય યજમાન તરીકે શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી દિપકભાઈ કાલીદાસભાઈ પટેલ દ્વારા લ્‍હાવો લેવામાં આવશે. કથામાં દરરોજ માતાજીના પ્રસંગોની ભવ્‍ય રીતે ઉજવણી કરાશે. કથાનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો છે. કથામાં પધારવા માટે પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ દ્વારા ભાવિક ભક્‍તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022 અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ૪૦મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

vartmanpravah

Leave a Comment