(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘‘ટીબી મુક્ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ લાવવા મુસ્કાન ફેમિલીના રીમાબેન કાલાણી સાથે વાપી નોટીફાઈડ મહામંત્રી અને સામાજિક કાર્યકર સુધીરભાઈ સાવલીયા અને અનાવિલ મહિલા મંડળ, મહેશ્વરી મહિલા મંડલ, અગ્રવાલ સમાજ મહિલા પાંખના સભ્યો, બ્રહ્મ સમાજની મહિલાઓ તથા સંસ્થા દ્વારા ગીતાનગરની મહિલાઓને પ્રોઢ શિક્ષણ જે પ્રાપ્ત કર્યુ તે મહિલાઓ તથા સમાજસેવી સંસ્થાઓ જોડાયા હતા. સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા સૌને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.