March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીની ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ દ્વારા સ્‍તન કેન્‍સરની જાગૃતિ માટે લેક્‍ચરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેશન દરમિયાન ડૉ.સંજય દુધત દ્વારા પુરૂષો અનેસ્ત્રીઓ વચ્‍ચેના વિવિધ પ્રકારના કેન્‍સર પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્‍યત્‍વે સ્‍તન કેન્‍સર માટેના વિવિધ કારક એજન્‍ટો અને સ્‍તન કેન્‍સરનું વિશ્‍લેષણ કરવા માટે વિવિધ સ્‍વ-પરીક્ષણ તકનીક, જે સ્‍તન કેન્‍સરની પ્રારંભિક તપાસમાં મદદ કરે છે, તેની ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્‍યામાં કોલેજની વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી અને સમાજની આ સળગતી સમસ્‍યા વિશે માહિતી મેળવી હતી. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે ભાજપા પ્રમુખ શ્રી બિમલભાઈ ચૌહાણ, ઓ.બી.સી. મોરચા વાપી નોટિફાઈડ અને ડો. સંજય દૂધાતનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

Leave a Comment