Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીની ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ દ્વારા સ્‍તન કેન્‍સરની જાગૃતિ માટે લેક્‍ચરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેશન દરમિયાન ડૉ.સંજય દુધત દ્વારા પુરૂષો અનેસ્ત્રીઓ વચ્‍ચેના વિવિધ પ્રકારના કેન્‍સર પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્‍યત્‍વે સ્‍તન કેન્‍સર માટેના વિવિધ કારક એજન્‍ટો અને સ્‍તન કેન્‍સરનું વિશ્‍લેષણ કરવા માટે વિવિધ સ્‍વ-પરીક્ષણ તકનીક, જે સ્‍તન કેન્‍સરની પ્રારંભિક તપાસમાં મદદ કરે છે, તેની ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્‍યામાં કોલેજની વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી અને સમાજની આ સળગતી સમસ્‍યા વિશે માહિતી મેળવી હતી. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે ભાજપા પ્રમુખ શ્રી બિમલભાઈ ચૌહાણ, ઓ.બી.સી. મોરચા વાપી નોટિફાઈડ અને ડો. સંજય દૂધાતનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

ચીખલીના સતાડીયા ગામે થયેલી મારામારીમાં એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

સરીગામના અંતરિયાળ વિસ્‍તાર બોન્‍ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્‍લોકની કામગીરી

vartmanpravah

Leave a Comment