Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

મૃત ગાયને હટાવાયા બાદ ટ્રેનને મુંબઈ તરફ રવાના કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ડબલ સુપર ફાસ્‍ટ અમદાવાદ-મુંબઈ વચ્‍ચે દોડતી વંદે ભારત ટ્રેનને વધુ એકવાર અકસ્‍માત નડયો હતો. વલસાડ-વાપી વચ્‍ચે ટ્રેક ઉપર અચાનક ગાય આવી જતા ટ્રેન થોભાવાઈ હતી. અકસ્‍માતમાં ગાયનું મોત નિપજ્‍યું હતું.
વંદે ભારત ટ્રેન સુરતથી રાબેતા મુજબ મુંબઈ જવા રવાના થયા બાદ વલસાડ સ્‍ટેશન પાસ કરાયા બાદ આ સુપર ફાસ્‍ટ ટ્રેનની ટ્રેક ઉપર વાપી વલસાડ વચ્‍ચે એક ગાય આવી ગઈ હતી. ટ્રેનને તાત્‍કાલિક થોભાવી દેવાઈહતી. અલબત્ત ટ્રેનના એન્‍જિન કે કોઈપણ ભાગને કોઈ નુકશાન થયું નહોતું પરંતુ ટ્રેનની અચાનક બ્રેકથી મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. કંઈ અજુગતુ થયાની દહેશત ટ્રેનમાં પ્રસરી જવા પામી હતી. જો કે અકસ્‍માતને લઈ ગાય ટ્રેક ઉપર જ મરણ પામી હતી તેને હટાવી લેવાયા બાદ વંદે ભારત ટ્રેન મુંબઈ જવા માટે રવાના થી હતી. નોર્મલ-સામાન્‍ય મરામત ટ્રેન એન્‍જિનમાં કરવામાં આવી હતી.

Related posts

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

Leave a Comment