April 21, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

વર્તમાન સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં લોકોને જંગલની જમીન મળી છે, પરંતુ કેટલાક કબ્‍જેદારોને કોઈને કોઈ કારણસર વન વિભાગ દ્વારા આદિવાસી સમુદાયની થતી કનડગત સામે ઉભો થયેલો વિરોધ વંટોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થયેલા અન્‍યાયનો પડઘો પડયો હતો. આ રેલીને આદિવાસી એકતા પરિષદે પણ સમર્થન આપ્‍યું હતું.
જંગલ જનજીવન આંદોલન દ્વારા દાદરા નગર હવેલીમાં જંગલ જમીનનો હક્ક લેવા માટે વર્ષોથી આદિવાસીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વર્તમાન સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં લોકોને જમીન મળી છે, પરંતુ કેટલાક કબ્‍જેદારોને કોઈને કોઈ કારણસર વન વિભાગ દ્વારા આદિવાસી સમુદાયની થઈ રહેલી કનડગત સામે પણ વિરોધ વંટોળ દેખાયો હતો.
દાદરા નગર હવેલીના તથાકથિત નેતાઓ અને લોક પ્રતિનિધિઓ દ્વારા જંગલ જમીનનો કબ્‍જો આપવાના મુદ્દે અત્‍યાર સુધીથતી ફક્‍ત રાજનીતિના કારણે વિશાળ આદિવાસી સમુદાયનું અહિત થઈ રહ્યું હોવાની લાગણી પણ પ્રગટ થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી જંગલની જમીન ઉપર જેમનો કબ્‍જો છે એમના ઉપર ફોરેસ્‍ટ વિભાગ દ્વારા કરાતી એફ.આઈ.આર.ના મુદ્દે આદિવાસી જંગલ જનજીવન આંદોલન દ્વારા અસ્‍મિતા રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં આદિવાસી સમુદાયના લોકો જોડાયા હતા.

Related posts

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોના માનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજનાલાગુ કરવા પ્રગટ કરેલો મત

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

સ્‍વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્‍વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી

vartmanpravah

Leave a Comment