વર્તમાન સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં લોકોને જંગલની જમીન મળી છે, પરંતુ કેટલાક કબ્જેદારોને કોઈને કોઈ કારણસર વન વિભાગ દ્વારા આદિવાસી સમુદાયની થતી કનડગત સામે ઉભો થયેલો વિરોધ વંટોળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્મિતા રેલીમાં બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થયેલા અન્યાયનો પડઘો પડયો હતો. આ રેલીને આદિવાસી એકતા પરિષદે પણ સમર્થન આપ્યું હતું.
જંગલ જનજીવન આંદોલન દ્વારા દાદરા નગર હવેલીમાં જંગલ જમીનનો હક્ક લેવા માટે વર્ષોથી આદિવાસીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વર્તમાન સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં લોકોને જમીન મળી છે, પરંતુ કેટલાક કબ્જેદારોને કોઈને કોઈ કારણસર વન વિભાગ દ્વારા આદિવાસી સમુદાયની થઈ રહેલી કનડગત સામે પણ વિરોધ વંટોળ દેખાયો હતો.
દાદરા નગર હવેલીના તથાકથિત નેતાઓ અને લોક પ્રતિનિધિઓ દ્વારા જંગલ જમીનનો કબ્જો આપવાના મુદ્દે અત્યાર સુધીથતી ફક્ત રાજનીતિના કારણે વિશાળ આદિવાસી સમુદાયનું અહિત થઈ રહ્યું હોવાની લાગણી પણ પ્રગટ થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી જંગલની જમીન ઉપર જેમનો કબ્જો છે એમના ઉપર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાતી એફ.આઈ.આર.ના મુદ્દે આદિવાસી જંગલ જનજીવન આંદોલન દ્વારા અસ્મિતા રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો જોડાયા હતા.