March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

જિલ્લાની 715 આંગણવાડીના 8 હજાર ભૂલકાંઓએ નજીકની પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી: પ્રજ્ઞાવર્ગના બાળકો સાથે અભિનય ગીત, બાળવાર્તા, બાળગીતો, રમતો અને જોડકણા સહિતની પ્રવૃત્તિ કરાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: આંગણવાડીના ભૂલકાંઓ શાળામાં જવા માટે ઉત્‍સાહિત થાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય એવા શુભ આશય સાથે રાજ્‍ય સરકાર દ્વારા આંગણવાડી બાદ પ્રાથમિક શાળામાં ધો.1માં પ્રવેશ પહેલા એક વર્ષના પ્રજ્ઞાવર્ગનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેથી વલસાડ જિલ્લામાં શાળાકીય શિક્ષણની પૂર્વ તૈયારી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા અને આઈસીડીએસના ઈન્‍ચાર્જ પ્રોગ્રામ ઓફિસર નિલમ પટેલનાં માર્ગદર્શન હેઠળ તા. 30 જાન્‍યુઆરીના રોજ આંગણવાડી કેન્‍દ્રના ભૂલકાંઓની પ્રાથમિક શાળાના પ્રજ્ઞાવર્ગની મુલાકાતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લામાં આવેલી 715 આંગણવાડીના અંદાજે 8000 બાળકોને નજીકની પ્રાથમિક શાળામાં લઈ જવામાં આવ્‍યા હતા.
વલસાડ જિલ્લાની આંગણવાડીના ભૂલકાંઓની પ્રાથમિક શાળાના પ્રજ્ઞાવર્ગના બાળકો સાથેની સહભાગીતા વિકસે તે હેતુસર આયોજિત આ મુલાકાત દરમ્‍યાન શાળાનાં બાળકો દ્વારા આંગણવાડીના બાળકો સાથે અલગ-અલગ પ્રવૃત્તિઓ જેવી કે, અભિનય ગીત, બાળવાર્તા, રમતો રમવી, બાળગીતો, જોડકણા વગેરે કરાવવામાં આવીહતી. બાળકોને પ્રજ્ઞાવર્ગની તમામ વસ્‍તુ જેવી કે, જૂથવાર શૈક્ષણિક અધ્‍યયન, સ્‍વ અધ્‍યયન, ઘોડાનાં પુસ્‍તકો, કાર્ડ, લેડરમાં આવેલ એકમ, વ્‍ન્‍પ્‍ (ટીચીંગ ર્લનિંગ મટીરીયલ) વગેરે બતાવી તેનાં વિષે સમજ આપવામાં આવી હતી. શાળાનાં શિક્ષકો દ્વારા પણ બાળકોને રંગકામ અને ચીટક કામ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
વલસાડ જિલ્લાની આંગણવાડીના ભૂલકાંઓની પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાવર્ગના બાળકો સાથેની સહભાગીતા વિકસાવવાના આ નવતર પ્રયોગ થકી આંગણવાડીના ભૂલકાંઓની શાળા પ્રત્‍યે તત્‍પરતાનો વિકાસ થતો જોવા મળ્‍યો છે. તેમજ આંગણવાડીના ભૂલકાંઓ અને શાળાનાં પ્રજ્ઞાવર્ગના બાળકો બંનેમાં આ પ્રવૃત્તિ દ્વારા અનેરો આનંદ અને ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

Related posts

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દિવાળી તહેવારના દિવસો દરમિયાન ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા 946 કેસોનું કરેલું વહન

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

vartmanpravah

Leave a Comment