April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

  • દીવ જિલ્લાના લોકોના પ્રયાસથી સૌર ઊર્જા ઉત્‍પાદનના માધ્‍યમથી દિવસની 100 ટકા વિજળીની જરૂરિયાત પુરી કરનારો દેશનો પ્રથમ જિલ્લો દીવ બનતાં પ્રધાનમંત્રીશ્રીએ કરેલી સરાહના

  • સૌર ઊર્જાના માધ્‍યમથી દીવ જિલ્લાએ વિજળી મેળવવા થતા ખર્ચના રૂા.52 કરોડની પણ કરેલી બચત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે પોતાની ‘મનકી બાત’ કાર્યક્રમના 99મા સંસ્‍કરણમાં દીવ જિલ્લાના લોકોના પ્રયાસથી સૌર ઊર્જા ઉત્‍પાદનના માધ્‍યમથી દિવસની 100 ટકા વિજળીની જરૂરિયાત પુરી કરનારો દેશનો પ્રથમ જિલ્લો દીવ બનતાં તેની સરાહના કરી હતી. લોકોની સક્રિય ભાગીદારીથી વિજળી મેળવવા થતા રૂા.52 કરોડની બચત પણ દીવ જિલ્લાએ કરી હોવાની જાણકારી પણ પ્રધાનમંત્રીશ્રીએ આપી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દીવ જિલ્લાની પહેલથી પર્યાવરણને બચાવવા મદદ મળશે એવી પણ લાગણી વ્‍યક્‍ત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિના કરેલા ઉલ્લેખથી સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો ગદ્‌ગદિત થયા છે અને પ્રધાનમંત્રીશ્રીનો આભાર પણ પ્રગટ કરી રહ્યા છે.

Related posts

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્‍ટાર્ટઅપ પોલિસી અંગે સફળ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ટેનિસ એસો. દ્વારા થ્રીડી ઓપનટેનિસ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન : મોટી દમણ ફોર્ટ એરિયાના ટેનિસ કોર્ટમાં થયેલો પ્રારંભઃ 30થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ

vartmanpravah

Leave a Comment