Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

  • દીવ જિલ્લાના લોકોના પ્રયાસથી સૌર ઊર્જા ઉત્‍પાદનના માધ્‍યમથી દિવસની 100 ટકા વિજળીની જરૂરિયાત પુરી કરનારો દેશનો પ્રથમ જિલ્લો દીવ બનતાં પ્રધાનમંત્રીશ્રીએ કરેલી સરાહના

  • સૌર ઊર્જાના માધ્‍યમથી દીવ જિલ્લાએ વિજળી મેળવવા થતા ખર્ચના રૂા.52 કરોડની પણ કરેલી બચત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે પોતાની ‘મનકી બાત’ કાર્યક્રમના 99મા સંસ્‍કરણમાં દીવ જિલ્લાના લોકોના પ્રયાસથી સૌર ઊર્જા ઉત્‍પાદનના માધ્‍યમથી દિવસની 100 ટકા વિજળીની જરૂરિયાત પુરી કરનારો દેશનો પ્રથમ જિલ્લો દીવ બનતાં તેની સરાહના કરી હતી. લોકોની સક્રિય ભાગીદારીથી વિજળી મેળવવા થતા રૂા.52 કરોડની બચત પણ દીવ જિલ્લાએ કરી હોવાની જાણકારી પણ પ્રધાનમંત્રીશ્રીએ આપી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દીવ જિલ્લાની પહેલથી પર્યાવરણને બચાવવા મદદ મળશે એવી પણ લાગણી વ્‍યક્‍ત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિના કરેલા ઉલ્લેખથી સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો ગદ્‌ગદિત થયા છે અને પ્રધાનમંત્રીશ્રીનો આભાર પણ પ્રગટ કરી રહ્યા છે.

Related posts

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ દાનહના બેસદા, વાંસદા અને સિંદોનીના ત્રિજંક્‍શન ખાતે 1410 ફૂટના સૌથી ઊંચા શિખર પર ચડીને રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો

vartmanpravah

સુરત દક્ષિણ ઝોન કક્ષાનો કલા ઉત્‍સવમાં વલસાડ જિલ્લાના કપરાડાની વિદ્યાર્થિની પ્રગતિ તૃતીય સ્‍થાને વિજેતા

vartmanpravah

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

Leave a Comment