September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: ચીખલી તાલુકાના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરનું છત અચાનક ધરાશયી થતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના મલિયાધરા કુવા ફળીયામાં વિધવા બહેન ગંગાબેન ધનજીભાઈ પટેલ તેમની દીકરી સાથે ઘરમાં હતા તે દરમ્‍યાન બપોરના સમયે અચાનક તેમના બે ગાળાના ઘરનું વાંસ-લાકડાનું નળીયાવાળું છત ધડાકાભેર પડી જતા તેઓ સમય સુચકતા વાપરી ઘરની બહાર નીકળી ગયા હતા. અને માળિયું પણ હોવાથી સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત થવા પામી હતી.
જોકે અચાનક છત ધરાશયીથતા આ પરિવારને મોટું આર્થિક નુકશાન થવા સાથે પરિવાર મુશ્‍કેલીમાં મુકાઈ ગયો હતો. છત પડી જતા લાકડા પણ તૂટી જવા પામ્‍યા હતા. અને નળીયાનો પણ ભુક્કો બોલી જતા આ અંગેની જાણ થતાં ગામના સરપંચ સહિતના આગેવાનો ધસી આવી નુકશાની અંગેનો જરૂરી પંચકયાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah

ખાનવેલ પોલીસે ચોરીના 6 આરોપી અને એક રીસીવરની કરવામાં આવી ધરપકડ

vartmanpravah

ગણદેવી – વાંસદા સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા 1542 હોડિંગ અને પેઈન્‍ટીગ દૂર કરાયા

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

Leave a Comment