July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: ચીખલી તાલુકાના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરનું છત અચાનક ધરાશયી થતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના મલિયાધરા કુવા ફળીયામાં વિધવા બહેન ગંગાબેન ધનજીભાઈ પટેલ તેમની દીકરી સાથે ઘરમાં હતા તે દરમ્‍યાન બપોરના સમયે અચાનક તેમના બે ગાળાના ઘરનું વાંસ-લાકડાનું નળીયાવાળું છત ધડાકાભેર પડી જતા તેઓ સમય સુચકતા વાપરી ઘરની બહાર નીકળી ગયા હતા. અને માળિયું પણ હોવાથી સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત થવા પામી હતી.
જોકે અચાનક છત ધરાશયીથતા આ પરિવારને મોટું આર્થિક નુકશાન થવા સાથે પરિવાર મુશ્‍કેલીમાં મુકાઈ ગયો હતો. છત પડી જતા લાકડા પણ તૂટી જવા પામ્‍યા હતા. અને નળીયાનો પણ ભુક્કો બોલી જતા આ અંગેની જાણ થતાં ગામના સરપંચ સહિતના આગેવાનો ધસી આવી નુકશાની અંગેનો જરૂરી પંચકયાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

vartmanpravah

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

vartmanpravah

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah

Leave a Comment