Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

કોઈની લાગણી ન દુભાય તે રીતે ધાર્મિક તહેવારો ઉજવવા અનુરોધ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્‍યો હતો.
શ્રી રામ નવમી, શ્રી હનુમાન જયંતિ અને રમઝાન માસ ને લઈને પોલીસ દ્વારા પોલીસ મથકમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ કે.જે. ચૌધરી, પીએસઆઈ જે.બી. જાદવ સહિતના અધિકારીઓ દ્વારા બેઠકમાં ઉપસ્‍થિત હિન્‍દૂ અને મુસ્‍લિમ સમાજના આગેવાનોને તમામ ધાર્મિક તહેવારો કોમી એખલાસ વચ્‍ચે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે અને કોઈની લાગણી ન દુભાઈ તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત રામ જન્‍મોત્‍સવની ઉજવણી દરમ્‍યાન પૂરતો બંદોબસ્‍ત ગોઠવી તમામપ્રકારનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું. બેઠકમાં નરેન્‍દ્રભાઈ ભટ્ટ, હર્ષદભાઈ પંડ્‍યા, નૈનેશ કાયસ્‍થ ઉપરાંત મકબુલભાઈ દભાડ, મુનાફભાઈ શેખ, મહમદભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
ચીખલીમાં રામ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ અને તાલુકા ભાજપ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્‍મોત્‍સવ નિમિતે વાણિયાવાડ સ્‍થિત શ્રી રામજી મંદિરે થી વિશાળ શોભાયાત્રા નીકળશે અને બપોરે 12 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. સમરોલીમાં સાંઈબાબાના મંદિરે પણ પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોના સથવારે રામનવમીની ઉજવણી કરવામાં આવશે.

Related posts

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

vartmanpravah

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

Leave a Comment