September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: શ્રી રામ નવમી પાવન દિવસની ઉજવણી ઉપલક્ષમાં હોટલ પેપીલોનપરિવારે રક્‍તદાન જેવી માનવતા ભરી કામગીરી કરી રામ નવમીની ઉજવણી કરી હતી. મહા રક્‍તદાન કેમ્‍પમાં વહેલી સવારથી જ રક્‍તદાતાઓ રક્‍તદાન કરવા ઉમટી પડયા હતા.
ચૈત્ર સુદ-9 એટલે આ પવિત્ર દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પૃથ્‍વી ઉપરનો અવતાર દિવસ તેથી પ્રત્‍યેક વર્ષે આ દિવસે ભારત વર્ષમાં રામ નવમીની ખાસ ઉત્‍સાહથી ઉજવણી કરવામાં આવે છે. આ દિન નિમિત્તે વાપી હોટલ પેપીલોન પરિવાર, રોટરી ક્‍લબ ઓફ વાપી ઉદ્યોગનગર, લોહાણા યુવક મંડળ દ્વારા આજે 16મી વખત મહા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 500 યુનિટનો રક્‍તનો લક્ષ્યાંક રખાયો હતો. જેમાં રક્‍તદાતાઓમાં પોલીસ સ્‍ટાફ, મહિલાઓ, યુવાનોએ મોટી સંખ્‍યામાં રક્‍તદાન કરવા માટે ઉમટી પડયા હતા. કુલ 411 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું હતું. શિબિર અગાઉ ભુલાલક્ષ્મી પાર્ટી પ્‍લોટમાં બુધવારે સાંજે મહા આરતી અને મહા પ્રસાદનું પણ આયોજન પેપીલોન ગૃપ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે હોટલ પેપીલોનના માલિક નલીનભાઈ પાબારી, ડી.વાય.એસ.પી. બી.એન. દવે, ભાજપ શહેર પ્રમુખ સતિષ પટેલ, રોહીત સોમપુરા, રમણીક મામા સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. એકત્રિત રક્‍ત ન્‍યુકેમ અને લાયન્‍સ બ્‍લડ બેંકને આપવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

vartmanpravah

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દિવાળી તહેવારના દિવસો દરમિયાન ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા 946 કેસોનું કરેલું વહન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ દમણવાડા પંચાયતના ઉદ્યાનમાં રેડિયો ઉપર સાંભળવામાં આવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દમણ ન.પા.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપ પ્રમુખે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

Leave a Comment