(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ દમણવાડા પંચાયતના ઉદ્યાનમાં રેડિયો ઉપર નૈસર્ગિક વાતાવરણમાં સાંભળવામાં આવ્યું હતું. જેમાં દમણવાડા મંડળ ભાજપ પ્રમુખ શ્રી વિષ્ણુ બાબુ, સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન પટેલ, શ્રી હરેશભાઈ (પપ્પુભાઈ) બારી વગેરે જોડાયા હતા.