June 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

પૂજા, હવન, પાલખીયાત્રા, મહાપ્રસાદ, ગરબા તથા ભજન સંધ્‍યાજેવા કાર્યક્રમોની રમઝટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: ચૈત્ર સુદ નોમ એટલે રામ નવમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્‍મ દિવસ. હિન્‍દુ ધર્મના શાષાો અનુસાર સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કળતિ ઉપર દૈત્‍ય શક્‍તિઓ હાવી થાય ત્‍યારે ભગવાને તેઓનો નાશ કરવા જન્‍મ લેવો પડે છે. રાવણે પણ ત્રિલોકમાં ત્રાસ ફેલાવી દેવોને અનેક પ્રકારે દુઃખ આપતો હોય ભગવાન વિષ્‍ણુએ સાતમાં રામાવતાર લઈ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.
પારડી નગરમાં પણ ઠેર ઠેર રામ નવમીની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. પારડી દમણીઝાપા, રશ્‍મિ સોસાયટી, ભેસલાપાડ, શાકભાજી માર્કેટ, ચીવલ રોડ, હનુમાન ડુંગરી અને બાલદા જેવા અનેક સ્‍થળોએ સવારથી જ પૂજા, હવન પાલખીયાત્રા, મહાપ્રસાદ, ગરબા અને સાંજે ભજન સંધ્‍યા જેવા કાર્યક્રમોની રમઝટને લઈ સમગ્ર નગરે રામ જન્‍મ દિનને ઉજવી ધન્‍યતા અનુભવી હતી.
રામ નવમીને લઈ નગરના અનેક સ્‍થળોથી સાંઈબાબાની પાલખી યાત્રા તથા બાબાના મંદિરોમાં પૂજા-અર્ચના તથા મહાપ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્‍યો હતો. બપોરે નીકળેલ પાલખીયાત્રાને લઈ સાંઈ ભક્‍તોએ પાલખી યાત્રીકોને ઠંડા પીણા પીવડાવી તેઓની તરસ છીપાવી હતી. આમ રામ નવમીની સાથે સાથેપારડી નગરમાં સાંઈબાબાની પાલખીયાત્રા અને બાબાના મંદિરે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં મોટી સંખ્‍યામાં સાંઈ ભક્‍તો ઉમટી પડ્‍યા હતા.

Related posts

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં આઈ20 કાર મહિલા ચાલકે કંપની નજીક પાર્કિંગ કરેલા મોપેડ અને સ્‍કૂટરોને મારેલી જોરદાર ટક્કર: અકસ્‍માતમાં પાર્કિંગમાં રાખેલા કેટલાક વાહનોને થયેલું નુકસાન

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના આરોગ્‍ય કર્મચારીઓએ કોરોના દરમિયાન શનિ-રવિની રજાના દિવસોમાં બજાવેલ ફરજનો પગાર લાંબા સમયથી ન ચૂકવાતા કર્મચારીઓમાં જોવા મળેલી નારાજગી

vartmanpravah

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

Leave a Comment