Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સહિત નવસારી જિલ્લાના આરોગ્‍ય કર્મચારીઓએ કોરોના દરમિયાન શનિ-રવિની રજાના દિવસોમાં બજાવેલ ફરજનો પગાર લાંબા સમયથી ન ચૂકવાતા કર્મચારીઓમાં જોવા મળેલી નારાજગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: કોરોના મહામારી દરમિયાન શનિ-રવિ તથા જાહેર રજાના દિવસો દરમિયાન ફરજ બજાવનાર આરોગ્‍ય વિભાગના મલ્‍ટીપર્પઝ હેલ્‍થ વર્કર, ફિમેલ હેલ્‍થ વર્કર, ફિમેલ હેલ્‍થ સુપરવાઇઝર અને મલ્‍ટી પરપઝ હેલ્‍થ સુપરવાઇઝર સહિતના વર્ગ-3 સવર્ગના કર્મચારીઓને 25/03/2020 થી 15/10/2021 સુધીના સમયગાળા દરમ્‍યાન જાહેર રજા અને રવિવારના દિવસ સહિત કુલ-130 દિવસની બજાવેલ સેવા માટે ખાસ કિસ્‍સામાં જે તે કર્મચારીઓને રજાઓના દિવસે ખરેખર બજાવેલ ફરજના પ્રમાણમાંરજાનો પગાર ચૂકવવા ઠરાવવામાં આવેલ હતું.
આજે રજાના દિવસોમાં ફરજનો પગાર ચૂકવવાનું નક્કી થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આરોગ્‍ય કર્મચારીઓને આ પગાર ચૂકાયો નથી જો કે નવસારી જિલ્લાના મુખ્‍ય આરોગ્‍ય અધિકારી દ્વારા એપ્રિલ 2023માં આ અંગેની દરેક તાલુકાના આરોગ્‍ય અધિકારીઓ પાસે આવા કર્મચારીઓની વિગત મંગાવી હતી અને પગાર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ તેના પણ પાંચેક મહિના કરતાં વધુ સમય વિતવા છતાં કોઈ હકારાત્‍મક પરિણામ ન આવતા કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તવા પામી છે. વહીવટમાં નવસારી જીલ્લો અગ્રેસર હોવાના બણગા ફૂંકનાર જિલ્લાના ઉચ્‍ચ અધિકારીઓના વહીવટમાં કોરોના મહામારી જેવા કપડાં સમયમાં પોતાના અને પરિવારના જીવની પરવા કર્યા વિના કોરોના સંક્રમણને અટકાવવા ખડે પગે ફરજ બજાવનાર આરોગ્‍ય કર્મચારીઓને રજાના દિવસોમાં ફરજ નો પગાર મેળવવા માટે ઝઝૂમવા પડી રહ્યું છે.
ચીખલી તાલુકામાં એમપીએચડબલ્‍યુ-81,એફએચડબલ્‍યુ -62,સુપરવાઇઝર-14 સહિત કુલ-157 અને નવસારી, જલાલપોર, ખેરગામ, વાંસદા સહિતના સમગ્ર જિલ્લાના 512 જેટલા કર્મચારીઓ છે. ત્‍યારે આ કર્મચારીઓને પોતાના હકના પગાર માટે કેટલો સમય રાહ જોવી પડશે તે જોવું રહ્યું.
જિલ્લાના મુખ્‍યઆરોગ્‍ય અધિકારી ડો.રંગૂનવાલાના જણાવ્‍યાનુસાર કોરોનામાં રજાના દિવસોમાં ફરજ બજાવનાર કર્મચારીઓના પગાર માટે બીલો મુકાયેલા છે અને પાસ થાય એટલે ચૂકવવામાં આવશે. વહીવટી પ્રક્રિયામાં થોડો વિલંબ થઈ શકે છે.

Related posts

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

Leave a Comment