Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.30: વાપી નગરપાલિકા દ્વારા જી-20 અંતર્ગત લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત 29 માર્ચેનગરપાલિકાના સભાખંડમાં પર્યાવરણ વિષય પર સેમિનારનું આયોજન થયું હતું. જેમાં પર્યાવરણ બચાવવા અને એની સુરક્ષા માટે જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત પર્યાવરણ અને વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર અંગે લોકજાગૃતિ લાવવા લખમદેવ તળાવ ખાતેથી દોડ યોજવામાં આવી હતી. જેમાં વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, પ્રમુખ કાશ્‍મીરા શાહ, ઉપ પ્રમુખ અભયભાઈ નહાર, કારોબારી ચેરમેન મિતેષભાઈ દેસાઈ, નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, નાગરિકો અને વિવિધ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. અન્‍ય એક કાર્યક્રમમાં શાળાના બાળકોને પર્યાવરણ જાગૃતિના શપથ લેવડાવવામાં આવ્‍યા હતા. નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ યોજાઈ રહેલ જી-20 કાર્યક્રમો અંતર્ગત ઓફિસ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રીતેશ વાળંદના માર્ગદર્શનમાં શાળાના બાળકો માટે ડ્રોઇંગ અને નિબંધ સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ પર્યાવરણ જાગૃતિના ચિત્રો તૈયાર કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. વાપી નગરપાલિકા દ્વારા જી-20 અંતર્ગત આગામી બીજી એપ્રિલે શહેરમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાશે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત રક્‍તદાન કેમ્‍પ યોજાયો, 71 બોટલ એકત્ર થઈ

vartmanpravah

Leave a Comment