February 26, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા 31 માર્ચે વેરા વસૂલાત અભિયાન ચાલુ રાખી 7 દુકાનોને તાળા મારી રૂા.30.50 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી હતી. વર્ષ 22-23ના પૂરા થતા વર્ષના વેરા વસૂલાતના છેલ્લા દિવસે અભિયાનને વેગ આપી મહાત્‍મા ગાંધી સર્કલ પાસેના કે.પી. ટાવરની 3 દુકાનો અને સાંઇનગરમાં શાંતિ સોસાયટીમાં 4 દુકાનોને તાળા માર્યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્‍સ્‍પેકટર દીપક ચભાડીયા તથા ક્‍લાર્ક શશીકાંત, ઈશ્વરભાઈ, અલ્‍પેશ વગેરે કર્મચારીઓની ટીમે સમગ્ર માર્ચ માસ દરમ્‍યાન દરરોજ સઘન વેરા વસૂલાત અભિયાન ચલાવ્‍યું હતું અને લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરતા બાકીદારોની કોમર્શિયલ મિલકતોને તાળા મારવા સાથે સોસાયટીઓના નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરી 31 દિવસમાં રૂા. 2.86 કરોડની વસૂલાત કરી હતી અને 31 માર્ચે એક જ દિવસમાં રૂા.30.50 લાખની વસૂલાત થતાં રૂા.1726.79 લાખના માંગણા સામે રૂા.1660.94 લાખની વસૂલાત થતાં વસૂલાતની ટકાવારી 96.19 ટકા ઉપર પહોંચી હતી. ગત2021-22ના વર્ષમાં પણ 96.19 ટકા વેરા વસૂલાત થઈ હતી.

Related posts

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

Leave a Comment