October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટાભાગે વિવિધ પદો ઉપર શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ ઉપર થતી ભરતી સામે પણ નારાજગી

  • દાનહ અને દમણ-દીવના મૂળ સ્‍થાનિક ડોમિસાઈલ ઉમેદવારોને નોન ગેઝેટેડ બી શ્રેણીની પોસ્‍ટમાં અગ્રતા મળે એવી વ્‍યવસ્‍થા કરવા બુલંદ બનેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા શિક્ષિત બેરોજગાર યુવાનોમાં હતાશાનું વાતાવરણ ફેલાઈરહ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના મૂળ સ્‍થાનિક ડોમિસાઈલ ઉમેદવારોને નોન ગેઝેટેડ બી શ્રેણીની પોસ્‍ટમાં કોઈપણ પ્રકારની અગ્રતા નહીં મળતાં તેમનામાં પણ નિરાશા જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 9મી જૂન, 2016ના રોજ આઈ.આર.બી.માં વિવિધ 87 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે પૈકી કોન્‍સ્‍ટેબલ સ્‍તરના 13 ઉમેદવારોની પસંદગી થયા બાદ બીજી પોસ્‍ટો હજુ પણ ખાલી હોવાનું જાણવા મળે છે.
11મી ડિસેમ્‍બર, 2019ના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લોઅર ડિવિઝન ક્‍લાર્ક (એલડીસી)ની ભરતી માટે જાહેરાત નિકળી હતી. આજે સાડા ત્રણ વર્ષ કરતાં વધુનો સમય પસાર થવા છતાં ભરતી પરીક્ષા નહીં લેવાતા આヘર્ય ફેલાયેલું છે. પોલીસ બનવા કે સરકારી નોકરી મેળવવાનું સપનુ જોઈ રહેલા યુવાનોની મહત્તમ વયમર્યાદા પણ પૂર્ણ થવાની કગાર ઉપર આવતાં તેમની સ્‍થિતિ ડામાડોળ થઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટાભાગે શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ ઉપર થતી ભરતી સામે પણ વ્‍યાપક રોષ ઉભો થઈ રહ્યો છે. કારણ કે, શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ હેઠળ લાગેલા ઉમેદવારોનું કોઈ ભવિષ્‍ય સલામત નહીં રહેતું હોવાના કારણે કામમાં પણ તેમનું મન ચોંટતું નથી. જેના વ્‍યાપક દાખલાઓ શિક્ષણ વિભાગમાં શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ ઉપર લેવાતાશિક્ષકો દ્વારા અધવચ્‍ચેથી નોકરી છોડી ચાલી જવાની ઘટના બનતાં વિદ્યાર્થીઓને પણ સહન કરવાની નોબત આવી રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગઠિત સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડની કામગીરી સામે પણ સંદેહ ઉભો થઈ રહ્યો છે. કારણ કે, સંઘપ્રદેશ પ્રશાસનમાં કેશિયરથી લઈ ક્‍લાર્ક, સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ, પ્રાધ્‍યાપકો, શિક્ષકો, પોલીસ, વન વિભાગ સહિત લગભગ દરેક વિભાગોમાં વિવિધ પોસ્‍ટો ખાલી છે. જેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પ્રદેશના શિક્ષિત બેરોજગાર યુવાનોને તક મળવાની સંભાવના જોવાઈ રહી છે.

Related posts

ભાજપના કેન્‍દ્રીય મંત્રી ડૉ. અલકા ગુર્જરના અતિથિ વિશેષ પદે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ‘સંગઠન પર્વ કાર્યશાળા’ યોજાઈ

vartmanpravah

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment