June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31: ઉમરગામ તાલુકાના સોળસુંબા ગંગાનગર વિસ્‍તારમાં ગતરોજ સાંજના અરસામાં બે વ્‍યક્‍તિના મોત થવાની ઘટના બનતા સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની જવા પામ્‍યું હતું. ખાડ કુવાની સફાઈ માટેખાડામાં ઉતરેલ ચાલીના માલિક મહંમદ હાફીઝ અને ચાલીમાં રહેતો ભાડૂત જોગિન્‍દરનું ગેસ ગુંગડામણથી મોત થવા પામ્‍યું હતું. જ્‍યારે ખાડામાં ઉતરેલ વધુ એક ભાડૂત સુરજનો બચાવ થવા પામ્‍યો હતો.
આ ઘટનામાં પોલીસ તંત્રએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સોળસુંબા ગંગાનગર વિસ્‍તારમાં આવેલી સાત જેટલી રૂમોના ઉપયોગમાં આવતા ખાળકૂવાની સફાઈ કામગીરી ચાલી રહી હતી. ચાલીના માલિક મહમદ હાફિઝ અને ભાડૂત સુરજ કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન બીજા બે ભાડૂત રાજેન્‍દ્ર અને જોગિન્‍દર મદદમાં જોડાયા હતા. ખાળકુવાના કચરાને એક ખાડામાંથી બીજા ખાડામાં પસાર કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ખાડામાં ઉતરેલા જોગિન્‍દર અને સુરજ ગુંગળામણના કારણે તકલીફમાં મુકાઈ ગયા હતા. અને સુરજ પડી જવા પામ્‍યો હતો. જેના બચાવમાં ચાલી માલિક મોહમ્‍મદ હાફિઝ પણ ખાડામાં ઉતર્યો હતો. અને તે પણ ગુંગળામણના કારણે ગંભીર પરિસ્‍થિતિમાં આવી જવા પામ્‍યો હતો. આ સમય દરમિયાન બચાવ માટે દોરડુંનો સહારો આપતા સુરજ નામનો વ્‍યક્‍તિ બહાર આવી જતા બચી જવા પામ્‍યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ધરમપુર બોપી પંચાયતના સરપંચ પતિ આવાસ યોજના હપ્તામાં કટકી માંગતા ગ્રામજનોની ફરિયાદ

vartmanpravah

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ઓળખ મૂલ્‍યાંકન – રાજ્‍ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment