October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી નગરપાલિકા દ્વારા જી-20 અંતર્ગત પર્યાવરણ અને વાતાવરણ ફેરફારની લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં બીજી એપ્રિલે વી.આઈ.એ. ઓડિટોરિયમ ખાતે જી20 ના પ્રચાર પ્રસાર માટે નગરપાલિકા દ્વારા નાટકનો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં આર્ટ્‍સ કલબ ફેમિલી વડોદરાના શ્રી રાજેશભાઈ વ્‍યાસના નેતૃત્‍વ હેઠળ સંગીતમય કોમેડીએકાંકી નાટક ‘‘નેહલે પે દેહલા” ની પ્રસ્‍તુતિ થઈ હતી. આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીની આગેવાનીમાં ભારત જી-20 નું નેતૃત્‍વ કરી રહ્યું છે અને ગુજરાતમાં જી-20 અંતર્ગત પર્યાવરણ જાગૃતિના સૌથી વધુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ ગૌરવની વાત છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કશ્‍મીરા શાહ, ઉપ પ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, વિવિધ સમિતિના ચેરમેન, સભ્‍યઓ ઉપરાંત વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ વગેરે સાથે નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આનંદ માણ્‍યો હતો.

Related posts

વાપી દેગામ મનોવિકાસ ટ્રસ્‍ટના દિવ્‍યાંગ બાળકો માટે જેટકો દ્વારા દિવ્‍યાંગ બસની ભેટ અપાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

વાપી દમણગંગા નદી ઉપર 105 કરોડના ખર્ચે વધુ એક ડેમ અને રિવરફ્રન્‍ટનું નિર્માણ થશે

vartmanpravah

Leave a Comment