Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકર અને પ્રદેશ મહામંત્રી મનિષ દેસાઈએ બૂથ સશક્‍તિકરણ અંગેનીસમજાવેલી રણનીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની અધ્‍યક્ષતામાં દમણ જિલ્લાના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરે ચૂંટણીમાં બૂથના મહત્‍વને ખુબ જ અસરકારક રીતે સમજાવ્‍યું હતું અને સભ્‍યોને પ્રત્‍યેક બૂથ જીતવાની ભાજપની રણનીતિની સમજ આપી હતી.
પ્રદેશ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈએ બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં બૂથ સમિતિના ગઠન, પેજ પ્રમુખ સહિતના સભ્‍યોની વરણી બાબતે માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કડૈયા મંડળના અધ્‍યક્ષ શ્રી જતિનભાઈ પટેલ, પૂર્વ મંડળ અધ્‍યક્ષ શ્રી જયંતિ પટેલ તથા તમામ બૂથોના અધ્‍યક્ષો, ગ્રામ પંચાયતના સભ્‍યો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત દિવ્‍યાંગ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું શુક્રવારે દમણના ભામટીમાં અને શનિવારે નરોલી ખાતે થનારૂં જાહેર સન્‍માન

vartmanpravah

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

Leave a Comment