Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર બનેલ બાંધકામો અને દબાણને નેસ્‍તનાબૂદ કરવાની અપનાવેલી નીતિના ભાગરૂપે પ્રદેશમાં ચાલી રહેલું અવિરત અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણના જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા અને પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માની રાહબરી હેઠળ નાની દમણના ખારીવાડ તથા મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ કુલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર બનેલ બાંધકામો અને દબાણને નેસ્‍તનાબૂદ કરવાની અપનાવેલી નીતિના ભાગરૂપે આજે ખારીવાડ અને મીટનાવાડમાં સરકારી જમીન ઉપરથી અતિક્રમણો હટાવવામાં આવ્‍યા હતા. અતિક્રમણ હટાવો અભિયાનમાં કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા અને શ્રી પ્રિયાંશુ સિંહ, એસ.પી. શ્રી અમિત શર્મા, મામલતદાર શ્રી પ્રેમજી મકવાણા સહિત પ્રશાસનની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

Leave a Comment