Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર બનેલ બાંધકામો અને દબાણને નેસ્‍તનાબૂદ કરવાની અપનાવેલી નીતિના ભાગરૂપે પ્રદેશમાં ચાલી રહેલું અવિરત અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણના જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા અને પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માની રાહબરી હેઠળ નાની દમણના ખારીવાડ તથા મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ કુલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર બનેલ બાંધકામો અને દબાણને નેસ્‍તનાબૂદ કરવાની અપનાવેલી નીતિના ભાગરૂપે આજે ખારીવાડ અને મીટનાવાડમાં સરકારી જમીન ઉપરથી અતિક્રમણો હટાવવામાં આવ્‍યા હતા. અતિક્રમણ હટાવો અભિયાનમાં કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા અને શ્રી પ્રિયાંશુ સિંહ, એસ.પી. શ્રી અમિત શર્મા, મામલતદાર શ્રી પ્રેમજી મકવાણા સહિત પ્રશાસનની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દમણ નગરપાલિકાની ટીમે કલેક્‍ટર તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દારૂની હેરાફેરી કરાવનાર કાર માલિકને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

Leave a Comment