
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: શ્રી સ્વામિનારાયણગુરુકુળ સલવાવ સંચાલિત પ્રી પ્રાઈમરી સ્કૂલમાં નવા શૈક્ષણિક શત્રમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન ડે ની ઊજવણી રાખવામાં આવી હતી.
કહેવાય છે કે, મા સરસ્વતીની આરાધના થકી જે કાર્ય કરવામાં આવે એ સફળ જ થઈ છે તેથી બાળકો ના નવા શૈક્ષણિક શત્રની શરૂઆત માઁ ની આરાધના કરી હનુમાન જયંતીના શુભ પર્વના દિને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણના મંત્રોચાર સાથે પૂજા કરવામાં આવી હતી.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વચનામૃતમ હોલમાં સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી ટ્રસ્ટી મંડળના સભ્યો બાબુભાઈ સોડવડિયા, જયશ્રી બહેન સોડવડીયા અને વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાથી કરવામાં આવી હતી અને સ્વામિનારાયણ ભગવાનની આરતી કરી પ્રસાદ લઈ વિદ્યાર્થીઓએ વિદાય લીધી હતી.

