August 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: શ્રી સ્‍વામિનારાયણગુરુકુળ સલવાવ સંચાલિત પ્રી પ્રાઈમરી સ્‍કૂલમાં નવા શૈક્ષણિક શત્રમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્‍ટેશન ડે ની ઊજવણી રાખવામાં આવી હતી.
કહેવાય છે કે, મા સરસ્‍વતીની આરાધના થકી જે કાર્ય કરવામાં આવે એ સફળ જ થઈ છે તેથી બાળકો ના નવા શૈક્ષણિક શત્રની શરૂઆત માઁ ની આરાધના કરી હનુમાન જયંતીના શુભ પર્વના દિને વિદ્યાર્થીઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બ્રાહ્મણના મંત્રોચાર સાથે પૂજા કરવામાં આવી હતી.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના વચનામૃતમ હોલમાં સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો બાબુભાઈ સોડવડિયા, જયશ્રી બહેન સોડવડીયા અને વાલીશ્રીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાથી કરવામાં આવી હતી અને સ્‍વામિનારાયણ ભગવાનની આરતી કરી પ્રસાદ લઈ વિદ્યાર્થીઓએ વિદાય લીધી હતી.

Related posts

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment