(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ઝાપા બહાર વિજયપથ રોડ સ્થિત શનિદેવના મંદિરને રોડ વાઈડિંગને લીધે જુના મંદિરની પાછળ શનિદેવના નવા મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમા શનિદેવની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી નવા મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. તારીખ 6 એપ્રિલ તથા ચૈત્રી પૂનમના દિવસે શનિદેવ અને નવગ્રહ દેવનીવિધિવત પૂજા અર્ચના કરી અને શનિદેવ મહારાજ મૂર્તિની નવા મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. સાંજે સાત કલાકે મહા આરતી તથા ભજન-કીર્તન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ સાત ના રોજ જાહેર જનતા માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ભક્તોએ લાભ લીધો હતો, અને શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.