Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે નવગ્રહ તથા શનિદેવ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા અને મહા પ્રસાદનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ઝાપા બહાર વિજયપથ રોડ સ્‍થિત શનિદેવના મંદિરને રોડ વાઈડિંગને લીધે જુના મંદિરની પાછળ શનિદેવના નવા મંદિરનુ નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેમા શનિદેવની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી નવા મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી હતી. તારીખ 6 એપ્રિલ તથા ચૈત્રી પૂનમના દિવસે શનિદેવ અને નવગ્રહ દેવનીવિધિવત પૂજા અર્ચના કરી અને શનિદેવ મહારાજ મૂર્તિની નવા મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી હતી. સાંજે સાત કલાકે મહા આરતી તથા ભજન-કીર્તન અને ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તારીખ સાત ના રોજ જાહેર જનતા માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ભક્‍તોએ લાભ લીધો હતો, અને શનિદેવના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment