રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ દેવેન્દ્ર ફડનવીસને તિરંગાની આપેલી ભેટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01: આજે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાજપના પૂર્વ પ્રભારી અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શ્રી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતે આવેલ નિવાસ સ્થાન પર ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની થીમ પર બનાવવામાં આવેલ ગણપતિ પંડાલના દર્શન કર્યા બાદ શ્રી રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ શ્રી દેવેન્દ્ર ફડનવીસને તિરંગાની ભેટ આપી હતી.