June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા દાનહના સેલવાસ ખાતે ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની કરાયેલી ઉજવણી

સામાજિક સમાનતા, મહિલા સશક્‍તિકરણ અને શિક્ષણ માટેના મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેના પ્રયાસો આપણા બધા માટે પ્રેરણાદાયી છેઃ ગજેન્‍દ્ર યાદવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી તેનો સ્‍થાપના દિવસ સામાજિક ન્‍યાય સપ્તાહ તરીકે ઉજવી રહી છે અને તે અંતર્ગત તે સામાજિક સમરસતા માટે દરરોજ દેશભરમાં વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે અને દલિત, પછાત, શોષિત અને વંચિત લોકોની વચ્‍ચે જઈ ને તેમના માટે મોદી સરકાર દ્વારા કરાયેલા કામોની જાણકારી આપવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઓબીસી મોરચાના ખજાનચી શ્રી ગજેન્‍દ્ર યાદવ ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેવા તેમના એક દિવસીય પ્રવાસ પર દમણ અને દાદરા નગર હવેલી આવ્‍યા છે.
આજે સેલવાસ ભાજપ કાર્યાલય, અટલ ભવન ખાતે સામાજિક કાર્યકર મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી હરીશ પટેલની અધ્‍યક્ષતામાં આયોજિત, આજના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ગજેન્‍દ્ર યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા આ ઉપરાંત અન્‍ય ઉપસ્‍થિતોમાં પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિવેક દાઢકર, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચોહાણ, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્‍ય શ્રી વિશાલ ટંડેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આજના અતિથિ વિશેષ શ્રી ગજેન્‍દ્ર યાદવે ઉપરોક્‍ત કાર્યક્રમોમાં જણાવ્‍યું હતું કે, મિત્રો આજે મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિ છે, જેઓએ દેશમાં સામાજિક અસમાનતાઓ અને ભેદભાવ સામે નવજાગૃતિનો પ્રકાશ જગાડીને સમાજને ઉત્‍થાન કરવાનું બીડું ઝડપ્‍યું હતું અને વંચિતોનું કલ્‍યાણ અને મહિલા સશક્‍તિકરણ તેઓએ સુનિヘતિ કર્યુંહતું. આ પ્રસંગે હું તેમને નમન કરૂં છું. તેમણે કહ્યું હતું કે ‘પુરુષ તમામ જીવોમાં શ્રેષ્ઠ છે અનેસ્ત્રી તમામ મનુષ્‍યોમાં શ્રેષ્ઠ છે.સ્ત્રી અને પુરૂષ જન્‍મથી જ મુક્‍ત છે, તેથી જ બંનેને સમાન રીતે તમામ અધિકારો ભોગવવાની તક મળવી જોઈએ સામાજિક સમાનતા અને મહિલા સશક્‍તિકરણ અને શિક્ષણ માટેના તેમના પ્રયાસો આપણા બધા માટે પ્રેરણાદાયી છે.

Related posts

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah

સરીગામ ખાતે ત્રિરંગા રેલી યોજાઈ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

દમણવાડા પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડાના લોકોને આપવામાં આવી મફત કાનૂની સલાહ

vartmanpravah

2047 સુધી વિકસિત ભારત બનાવવા  દમણમાં યોજાયેલ બે દિવસીય ‘ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ’ વિકસિત ગામથી વિકસિત જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે સંપન્ન

vartmanpravah

Leave a Comment