કથા આચાર્ય પંડીત રાજા મહારાજના મુખે સુર-સંગીતના તાલમાં કથાપાન થઈ રહ્યું છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી ચણોદ કોલોનીમાં ગત તા.07 એપ્રિલથી વાપી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ અને ઓધવ આંગન મહિલા મંડળના ઉપક્રમે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ કાર્યરત છે. સવાર-સાંજ ભક્તિ સંગીત વાતાવરણમાં દરરોજ હજારો બહેનો-ભાઈઓ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરી રહ્યા છે.
દશ દિવસીય ચાલનારી આ શ્રીમદ્ ભાગવત સપ્તાહની વ્યાસપીઠ ઉપર જાણીતા કથા આચાર્ય પંડિત રાજા મહારાજના મુખેથી નિત્ય નવા દૃષ્ટાંત ઉદાહરણો દ્વારા ભાગવત કથા સારનેતેઓ ઉપસ્થિત શ્રોતાજનોને પીરસી રહ્યા છે. સમગ્ર ભાનુશાલી સમાજ તથા અન્ય સમાજના હજારો લોકો દરરોજ ભાગવત સપ્તાહમાં ઉમટી રહ્યા છે. સુર-સંગીતના તાલે મહારાજ શ્રી પંડીત રાજા શ્રધ્ધાળુઓને ભગવાનમય બનાવી રહ્યા છે ત્યારે વાતાવરણમાં દિવ્યતા પથરાયાનો નજારો છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.