June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કચ્‍છી ભાનુશાલી મિત્રમંડળ-ઓધવ આંગન મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

કથા આચાર્ય પંડીત રાજા મહારાજના મુખે સુર-સંગીતના તાલમાં કથાપાન થઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ચણોદ કોલોનીમાં ગત તા.07 એપ્રિલથી વાપી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ અને ઓધવ આંગન મહિલા મંડળના ઉપક્રમે શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ કાર્યરત છે. સવાર-સાંજ ભક્‍તિ સંગીત વાતાવરણમાં દરરોજ હજારો બહેનો-ભાઈઓ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરી રહ્યા છે.
દશ દિવસીય ચાલનારી આ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહની વ્‍યાસપીઠ ઉપર જાણીતા કથા આચાર્ય પંડિત રાજા મહારાજના મુખેથી નિત્‍ય નવા દૃષ્‍ટાંત ઉદાહરણો દ્વારા ભાગવત કથા સારનેતેઓ ઉપસ્‍થિત શ્રોતાજનોને પીરસી રહ્યા છે. સમગ્ર ભાનુશાલી સમાજ તથા અન્‍ય સમાજના હજારો લોકો દરરોજ ભાગવત સપ્તાહમાં ઉમટી રહ્યા છે. સુર-સંગીતના તાલે મહારાજ શ્રી પંડીત રાજા શ્રધ્‍ધાળુઓને ભગવાનમય બનાવી રહ્યા છે ત્‍યારે વાતાવરણમાં દિવ્‍યતા પથરાયાનો નજારો છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

vartmanpravah

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

vartmanpravah

Leave a Comment