September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કચ્‍છી ભાનુશાલી મિત્રમંડળ-ઓધવ આંગન મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

કથા આચાર્ય પંડીત રાજા મહારાજના મુખે સુર-સંગીતના તાલમાં કથાપાન થઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ચણોદ કોલોનીમાં ગત તા.07 એપ્રિલથી વાપી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ અને ઓધવ આંગન મહિલા મંડળના ઉપક્રમે શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ કાર્યરત છે. સવાર-સાંજ ભક્‍તિ સંગીત વાતાવરણમાં દરરોજ હજારો બહેનો-ભાઈઓ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરી રહ્યા છે.
દશ દિવસીય ચાલનારી આ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહની વ્‍યાસપીઠ ઉપર જાણીતા કથા આચાર્ય પંડિત રાજા મહારાજના મુખેથી નિત્‍ય નવા દૃષ્‍ટાંત ઉદાહરણો દ્વારા ભાગવત કથા સારનેતેઓ ઉપસ્‍થિત શ્રોતાજનોને પીરસી રહ્યા છે. સમગ્ર ભાનુશાલી સમાજ તથા અન્‍ય સમાજના હજારો લોકો દરરોજ ભાગવત સપ્તાહમાં ઉમટી રહ્યા છે. સુર-સંગીતના તાલે મહારાજ શ્રી પંડીત રાજા શ્રધ્‍ધાળુઓને ભગવાનમય બનાવી રહ્યા છે ત્‍યારે વાતાવરણમાં દિવ્‍યતા પથરાયાનો નજારો છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં બાકી ઉધારી નહી આપતા વેપારીઍ ગ્રાહકને બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

Leave a Comment