Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મલવાડામાં કાવેરી નદીના પાણીમાં મૃત મરઘા ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ ફેલાવા સાથે પાણી પણ દૂષિત થતા સ્‍થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો હતો.
કાવેરી નદીમાં પશુઓ પણ પાણી પીતા હોય છે. ઉપરાંત લોકો કપડાં પણ ધોતા હોય છે. અને ખેતીવાડીમાં પણ આકાવેરી નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. ત્‍યારે મૃત મરઘાઓને યોગ્‍ય જગ્‍યાએ જમીનમાં ડાટવાના સ્‍થાને કોઈ પોલટ્રી ફાર્મવાળા દ્વારા મૃત મરઘાઓને કોથળામાં ભરી કાવેરી નદીમાં ફેંકી દેતા તે મલવાડા પાસે તણાઈ આવ્‍યા હોય તેમ લાગે છે. ત્‍યારે આરોગ્‍ય વિભાગ અને આસપાસની ગ્રામ પંચાયતો દ્વારા આ અંગેની જરૂરી તપાસ કરી આવી બાબતનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિતકરે તે જરૂરી છે.

Related posts

ગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્‍ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓનું વેચાણ અને ઉપયોગ કરનારને ફટકારેલો દંડ

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

Leave a Comment