June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મલવાડામાં કાવેરી નદીના પાણીમાં મૃત મરઘા ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ ફેલાવા સાથે પાણી પણ દૂષિત થતા સ્‍થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો હતો.
કાવેરી નદીમાં પશુઓ પણ પાણી પીતા હોય છે. ઉપરાંત લોકો કપડાં પણ ધોતા હોય છે. અને ખેતીવાડીમાં પણ આકાવેરી નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. ત્‍યારે મૃત મરઘાઓને યોગ્‍ય જગ્‍યાએ જમીનમાં ડાટવાના સ્‍થાને કોઈ પોલટ્રી ફાર્મવાળા દ્વારા મૃત મરઘાઓને કોથળામાં ભરી કાવેરી નદીમાં ફેંકી દેતા તે મલવાડા પાસે તણાઈ આવ્‍યા હોય તેમ લાગે છે. ત્‍યારે આરોગ્‍ય વિભાગ અને આસપાસની ગ્રામ પંચાયતો દ્વારા આ અંગેની જરૂરી તપાસ કરી આવી બાબતનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિતકરે તે જરૂરી છે.

Related posts

ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment