Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મલવાડામાં કાવેરી નદીના પાણીમાં મૃત મરઘા ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ ફેલાવા સાથે પાણી પણ દૂષિત થતા સ્‍થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો હતો.
કાવેરી નદીમાં પશુઓ પણ પાણી પીતા હોય છે. ઉપરાંત લોકો કપડાં પણ ધોતા હોય છે. અને ખેતીવાડીમાં પણ આકાવેરી નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. ત્‍યારે મૃત મરઘાઓને યોગ્‍ય જગ્‍યાએ જમીનમાં ડાટવાના સ્‍થાને કોઈ પોલટ્રી ફાર્મવાળા દ્વારા મૃત મરઘાઓને કોથળામાં ભરી કાવેરી નદીમાં ફેંકી દેતા તે મલવાડા પાસે તણાઈ આવ્‍યા હોય તેમ લાગે છે. ત્‍યારે આરોગ્‍ય વિભાગ અને આસપાસની ગ્રામ પંચાયતો દ્વારા આ અંગેની જરૂરી તપાસ કરી આવી બાબતનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિતકરે તે જરૂરી છે.

Related posts

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

vartmanpravah

ચીખલીના નોગામા ગામેથી બિનવારસી કારમાંથી રૂા. 86 હજારનો દારૂ મળ્‍યો

vartmanpravah

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

વલસાડના શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો 28મો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

vartmanpravah

વિધાનસભા નાયબ મુખ્‍ય દંડકના અધ્‍યક્ષસ્‍થાને કપરાડા ખાતે આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment