(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મલવાડામાં કાવેરી નદીના પાણીમાં મૃત મરઘા ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ ફેલાવા સાથે પાણી પણ દૂષિત થતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો.
કાવેરી નદીમાં પશુઓ પણ પાણી પીતા હોય છે. ઉપરાંત લોકો કપડાં પણ ધોતા હોય છે. અને ખેતીવાડીમાં પણ આકાવેરી નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. ત્યારે મૃત મરઘાઓને યોગ્ય જગ્યાએ જમીનમાં ડાટવાના સ્થાને કોઈ પોલટ્રી ફાર્મવાળા દ્વારા મૃત મરઘાઓને કોથળામાં ભરી કાવેરી નદીમાં ફેંકી દેતા તે મલવાડા પાસે તણાઈ આવ્યા હોય તેમ લાગે છે. ત્યારે આરોગ્ય વિભાગ અને આસપાસની ગ્રામ પંચાયતો દ્વારા આ અંગેની જરૂરી તપાસ કરી આવી બાબતનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિતકરે તે જરૂરી છે.