April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

મોતીવાડા અને બગવાડા બંને ઓવરબ્રિજ તૈયાર હોય આ ફાટક કાયમી ધોરણે બંધ થવાની નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.12: પારડી તાલુકાના ઉદવાડાનો રેલવે ફાટક ફરી એક વખત રીપેરીંગની કામગીરીને લઈ આવતીકાલે 13 એપ્રિલ સવારે 8 વાગ્‍યા થી 3જી મે આમ 20 દિવસ સુધી બંધ રહેશે. ઉદવાડા ફાટક પર રોજના સંઘપ્રદેશ દમણ તેમજ નોકરિયાત વર્ગો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, કામાર્થે જતા વાહનચાલકોનો ભારે ઘસારો જોવા મળે છે. પરંતુ હવે મોતીવાડા અને બગવાડા ખાતે નવા બ્રિજ તૈયાર થઈ ગયા હોય ઉદવાડા ફાટકનો ઉપયોગ કરતા તમામ રોજબરોજના લોકોને કોઈ ઝાઝો ફરક પડશે નહિ. આમ પણ છેલ્લા ઘણા સમયથી કોલક તથા ઉદવાડા ગામથી રેંટલાવ સુધીના તમામ વાપી તથા પારડી તરફ અપ-ડાઉન કરનારાઓએ મોતીવાડા તથા બગવાડા ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે ત્‍યારે 20 દિવસ માટે બંધ રહેલો આ ઉદવાડા ફાટક હવે લોકો કાયમ માટે બંધ કરી દે અને રેલવે એ ફાટક કાયમ માટે બંધ કરવાની નોબત આવે તો નવાઈ નહી.
સાથે સાથે બગવાડા ઓવરબ્રિજ લોકાર્પણ વિના જ લોકોએ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ વરસોથી ફાટક નજદીક ધંધો કરતા ઓરવાડ-રેંટલાવના નાના વેપારીઓને ધંધામાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.

Related posts

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપી મેરેથોન યોજાઈ

vartmanpravah

ધમડાચી-વિજલપુર કેનેરા બેંકનો બ્રાન્‍ચ મેનેજર લોન પાસ કરી આપવા પેટા રૂા.20 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

vartmanpravah

ગુસ્‍સામાં ઘરેથી નીકળી ગયેલી મુંબઈની ગર્ભવતી મહિલાનું વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યુ

vartmanpravah

Leave a Comment