September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

પતિ બહારગામ સુરત ગયો હતો : આવ્‍યો ત્‍યારે ઘર બંધ હતું, જોયુ તો પત્‍નીએ અંતિમ કદમ ઉપાડી લીધેલુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડમાં ખાનગી સ્‍કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ આજરોજ શુક્રવારે પોતાના ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખવાની ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
વલસાડના પાલીહિલ વિસ્‍તારમાં રહેતી અને સરસ્‍વતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ આજે પોતાના બેડરૂમમાં દોરડુ બાંધી કોઈ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈને જીવન ટુંકાવ્‍યું હતું. પતિ બહારગામ સુરત ગયો હતો. ઘરે એકલી શિક્ષિકા હતી ત્‍યારે તેણીનીએ અંતિમ કદમ ઉપાડી લીધુ હતું. સુરતથી પરત આવેલ પતિએ જોયુ તો ઘરનો દરવાજો બંધ હતો ત્‍યારે શંકા જતા અન્‍ય રસ્‍તાથી ઘરમાં પ્રવેશી જોયુ તો પત્‍ની બેડરૂમમાં ફાંસોખાધેલી હાલતમાં લટકતી હતી તેથી સિટી પોલીસને તાત્‍કાલિક જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો મેળવી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્‍થિતિ હતી

vartmanpravah

છેલ્લા 10 વર્ષથી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment