Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વાપીના એલ્‍યુર જય રાધે ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ફ્રી ભોજન સેવાની શરૂઆત કરાઈ હતી. પ્રથમ હોસ્‍પિટલમાં દર્દીઓને અને જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્‍યું હતું. પરંતુ આજ રોજ ટ્રસ્‍ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રસ્‍ટની બહાર દરરોજ જે પણ જરૂરિયાતમંદ કે ભૂખ્‍યા લોકો હશે તેઓને પણ આ ટ્રસ્‍ટ દ્વારા બહાર ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા સિવાય પણ દિવ્‍યાંગ બાળકોને શાળામાં જઈભોજન વિતરણ કરાય છે. આ વિકલાંગ બાળકોની શાળામાં ટ્રસ્‍ટ દ્વારા દરરોજ બપોરે આશરે 125 વિકલાંગ બાળકોને વિના મૂલ્‍યે ભોજન પૂરું પાડી સેવાનું કામ થઈ રહ્યું છે. આ પહેલમાં જોડાવા અને સેવાકીય કાર્યોમાં સાથ સહકાર આપવા માટે મોહન રાયસીંગાની અને અંજલિ રાયસીંગાની દ્વારા શરૂ કરાયેલી આ સેવા જ્‍યાં સુધી એલ્‍યુર જય રાધે ફાઉન્‍ડેશન કાર્યરત રહેશે ત્‍યાં સુધી જરૂરતમંદોને ભોજન અપાશે. દાન આપવા માટે શૈલેષભાઈ લાડના મો.નં. 7227055201 ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

vartmanpravah

ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયો હોવાની કબૂલાત કરતો અવધ ઉટોપિયાનો સંકેત મહેતા

vartmanpravah

વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયોઃ કલેક્‍ટરને આવેદન અપાયું

vartmanpravah

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah

Leave a Comment