July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ


અનઅધિકૃત દબાણો દૂર કરી 9 મીટરના માર્ગને 18 મીટર પહોળો કરાશે : દબાણકારોએ વિરોધ કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપીમાં ટ્રાફિક સમસ્‍યાના ઉકેલ માટેની જે તે તંત્રો દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે. પાલિકા દ્વારા આજે મંગળવારે ભડકમોરા-સુલપડ વિસ્‍તાર રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે માટે માપણી અને જરૂરી નિશાન કરવામાં આવ્‍યા હતા. પાલિકા આ વિસ્‍તારનો રોડ જે 9 મીટરનો છે તેને અનઅધિકૃત દબાણો હટાવીને 18 મીટર પહોળો કરવાની કવાયત હાથ ધરી હતી.
વાપી જી.આઈ.ડી.સી.માં આવતા ભારે વાહનો તથા સેલવાસ દમણને જોડતો મુખ્‍ય રાજપથ છે તેથી વાહનોની અવર જવર પ્રમાણમાં રોજીંદી વધારે રહે છે. તેથી ટ્રાફિકની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે ભડકમોરા-સુલપડ વિસ્‍તાર પહોળોકરવા જરૂરી બન્‍યો છે તેથી પાલિકાએ આજે રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરી હતી. તે માટે જરૂરી માપણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અનઅધિકૃત બાંધકામો પણ દૂર કરવામાં આવશે. પાલિકા દબાણો હટાવી સુંદર રમણીય સ્‍વચ્‍છ બનાવવાની પહેલ કરનાર છે તેથી વાપી નગરપાલિકા ટીમે મંગળવારે માર્ગ પહોળો કરવા જરૂરી માપણી અને માર્કિંગની કામગીરી કરી હતી. આ કામગીરી સામે સ્‍થાનિક રહેવાસીઓનો વિરોધ કરાયો હતો. જમીન માલિકો ઘર વિહોણા બની જશે તેવો સુર ઉઠયો હતો. આ માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેમજ કાયદેસર જમીન માલિકોને નોટીસ આપવામાં આવશે. આ માર્ગ એક કિલોમીટર જે ભડકમોરા ચોકડીથી ફસ્‍ટ ફેઝ સેન્‍ટ્રલ ઓફ એક્‍સિલન્‍સ સુધીનો આંતરિક રોડ છે. જો રોડ પહોળો થઈ જશે તો વી.આઈ.એ. ચાર રસ્‍તા ઉપર ટ્રાફિકનું ભારણ ઘટશે. નુકશાન થવાની દલીલો-ભીતિ પાયા વિહોણી છે. સારા કામમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેવુ પાલિકાએ જણાવ્‍યું હતું.

Related posts

ભારત સરકારના સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે સેલવાસમાં જન ઔષધિ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની પાણીખડક ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment