September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

સામાન્‍ય ખેડૂત જુથો/સહકારી સંસ્‍થાઓને સાધનો વસાવવા ખર્ચના રૂા.7.50 લાખ સુધીની સહાય મળશે

દરિયાઈ માર્ગે નિકાસ માટે વધુમાં વધુ રૂા.2.50 લાખ અને હવાઈ માર્ગે નિકાસ માટે વધુમાં વધુ રૂા.10 લાખની સહાય મળશે: નિકાસ કરેલા દેશમાં માલ અનલોડીંગ થયા બાદ 180 દિવસમાં અરજી કરવાની રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લાનો મુખ્‍ય ફળપાક આંબાપાક છે. આંબાવાડીમાં આગામી મે-જુન માસમાં કેરીપાકનું ઉત્‍પાદન મળશે. કેરીના ફળને સ્‍થાનિક બજારમાં પ્‍લાસ્‍ટીકના ક્રેટ્‍સમાં ભરીને લઈ જવાથી થતી ઈજા અને દબાણથી અટકાવવું જરૂરી છે. સામાન્‍ય રીતે કેરીમાં આવરણો તરીકે જુના અખબારો, ટીસ્‍યુ પેપર વગેરે સામ્રગ્રી વપરાય છે. આવરણ કરવાથી પેદાશોની સંગ્રહ શક્‍તિ વધે છે તેમજ પરિવહન દરમ્‍યાન અને સંગ્રહ કરવામાં આવે ત્‍યારે નુકસાનમાં ઘટાડો થાય છે અને ફળના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. જેથી સારા બજારભાવ મેળવી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય છે.
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા લણણી બાદના કેરી ફળ માટેના શોર્ટીગ ગ્રેડીંગ સાધનો જેવા કે પ્‍લાસ્‍ટીક ક્રેટ્‍સ, પેંકીગ મટીરીયલ,વજનકાંટા કે અન્‍ય શોર્ટીગ/ ગ્રેડીંગ મશીનરી ખરીદીમાં સહાય આપવાની યોજના કાર્યરત છે. સામાન્‍ય ખેડૂતને રૂા.2500 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂા.3750 ની સહાય મળે છે. પ્‍લાસ્‍ટીક ક્રેટસ એમ્‍પેનલ થયેલી કંપની પાસેથી ખરીદી કરવાના રહેશે. સામાન્‍ય ખેડૂત જુથો/સહકારી સંસ્‍થાઓને પીએચએમના સાધનો વસાવવા માટે ખર્ચના રૂા.7.50 લાખ સુધીની સહાય મળે છે. બાગાયત પેદાશની પોસ્‍ટ હાર્વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્‍સમાં સહાય યોજના અંતર્ગત કોરૂગેટેડ બોકસ, લાંકડાના બોકસનો પેકીંગ મટીરીયલ્‍સ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ યોજનામાં ખર્ચના 75 ટકા મુજબ રૂા.7500/- ની સહાય એક હેકટરની મર્યાદામાં મળે છે.
કેરીફળના દરિયાઈ માર્ગે નિકાસ કરવા માટે વાહતુક ખર્ચ સહાય 25 ટકા કે સહાય બિલના વધુમાં વધુ રૂા.2.50 લાખની મર્યાદામાં સહાય મળે છે. આ ઉપરાંત હવાઈ માર્ગે કેરીફળ નિકાસ કરવા માટે વાહતુક ખર્ચ સહાય 25 ટકા કે સહાય બિલના વધુમાં વધુ રૂા.10 લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ ખેડૂત કે ખેડૂત સમુહ, ખાનગી સંસ્‍થા, સહકારી સંસ્‍થા/મંડળીને મળવાપાત્ર છે. નિકાસકાર તરીકે માન્‍યતા અંગેના પૂરાવા તથા નિકાસ માટે સંસ્‍થાના લોડીંગ અને અનલોડીંગના પુરાવા રજૂ કરવા ફરજીયાત છે.નિકાસ કરેલા દેશમાં માલ અનલોડીંગ થયા બાદ 180 દિવસમાં અરજી કરવાની રહેશે.
નિકાસકારોને અમેરિકા જેવા દેશમાં કેરીના નિકાસ કરવા માટે ઈરીડીયેશન પ્રકિયા માટે ખર્ચના 25 ટકા મુજબ વાર્ષિક મહત્તમ રૂા.2.50 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. કેરીફળ નિકાસ કરવા માટેની યોજનાઓ વિશે વધુ વિગતો જાણવા માટે જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ઉપર જણાવેલ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન કરેલી અરજીની પિં્રટ નકલ જરૂરી સાધનિક કાગળો સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ, વલસાડ-39600 ટેલીફોન નંબર-02632-243183 ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી, વલસાડ દ્વારા અખબાર યાદીમાં જણાવાયું છે.

Related posts

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

vartmanpravah

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah

દાનહ બહુજન સમાજ પાર્ટીના લોકસભા ચૂંટણી-2024ના ઉમેદવાર સંદીપ બોરસા તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

Leave a Comment