Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

સેલવાસને સ્‍માર્ટ સીટી બનવાનું સૌભાગ્‍યપણ પ્રધાનમંત્રીશ્રીની દુરંદેશીથી મળ્‍યું હોવાથી તેમનો આભાર પ્રગટ કરવા મોટી સંખ્‍યામાં જોડાવા લોકોને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સેલવાસ આગમનના સંદર્ભમાં આજે સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે કાઉન્‍સિલરોની સાથે વોર્ડ નં. 1, 7 અને 8ના સાંઈધામ સોસાયટી, સાંઈ દર્શન સોસાયટી, સાંઈ ઓરા સોસાયટી અને તિરૂપતિ રેસીડેન્‍સી સોસાયટીમાં જનસભા કરી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા લોકોને આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી સમસ્‍ત દાદરા નગર હવેલીના થયેલા વિકાસનો ચિતાર આપ્‍યો હતો અને સેલવાસને સ્‍માર્ટ સીટી બનવાનું સૌભાગ્‍ય પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દુરંદેશીથી મળ્‍યું હોવાનું જણાવી શહેરીજનોને મોટી સંખ્‍યામાં પ્રધાનમંત્રીશ્રીની સભામાં ઉપસ્‍થિત રહેવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

ચીખલીમાંમુખ્‍યમાર્ગ સ્‍થિત ધાર્મિક દબાણ દૂર કરવાની પહેલ હિન્‍દૂ પક્ષ દ્વારા કરી બગલાદેવ મંદિરનો શેડ સ્‍વેચ્‍છાએ ઉતારી વિધિપૂર્વક મૂર્તિ ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

દાનહમાં છેલ્લા પાંચ વર્ષથી હપ્તાખોરી માફિયાગીરી અસામાજિક પ્રવૃત્તિ ઉપર લાગેલી રોક

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah

Leave a Comment