March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

સેલવાસને સ્‍માર્ટ સીટી બનવાનું સૌભાગ્‍યપણ પ્રધાનમંત્રીશ્રીની દુરંદેશીથી મળ્‍યું હોવાથી તેમનો આભાર પ્રગટ કરવા મોટી સંખ્‍યામાં જોડાવા લોકોને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સેલવાસ આગમનના સંદર્ભમાં આજે સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે કાઉન્‍સિલરોની સાથે વોર્ડ નં. 1, 7 અને 8ના સાંઈધામ સોસાયટી, સાંઈ દર્શન સોસાયટી, સાંઈ ઓરા સોસાયટી અને તિરૂપતિ રેસીડેન્‍સી સોસાયટીમાં જનસભા કરી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા લોકોને આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી સમસ્‍ત દાદરા નગર હવેલીના થયેલા વિકાસનો ચિતાર આપ્‍યો હતો અને સેલવાસને સ્‍માર્ટ સીટી બનવાનું સૌભાગ્‍ય પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દુરંદેશીથી મળ્‍યું હોવાનું જણાવી શહેરીજનોને મોટી સંખ્‍યામાં પ્રધાનમંત્રીશ્રીની સભામાં ઉપસ્‍થિત રહેવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

દાનહ બ્રાહ્મણ સેવા સમિતિમાં રૂા.75 લાખની થયેલી ગોબાચારી : સંઘપ્રદેશ પ્રશાસન તથા સેલવાસ અને ગુજરાત પોલીસને કરાયેલી ફરિયાદ

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલને બેસ્‍ટ ક્રિએટિવિટી પેઇન્‍ટિંગ એવોર્ડ એનાયત

vartmanpravah

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment