સેલવાસને સ્માર્ટ સીટી બનવાનું સૌભાગ્યપણ પ્રધાનમંત્રીશ્રીની દુરંદેશીથી મળ્યું હોવાથી તેમનો આભાર પ્રગટ કરવા મોટી સંખ્યામાં જોડાવા લોકોને કરેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેલવાસ આગમનના સંદર્ભમાં આજે સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે કાઉન્સિલરોની સાથે વોર્ડ નં. 1, 7 અને 8ના સાંઈધામ સોસાયટી, સાંઈ દર્શન સોસાયટી, સાંઈ ઓરા સોસાયટી અને તિરૂપતિ રેસીડેન્સી સોસાયટીમાં જનસભા કરી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લોકોને આમંત્રણ પાઠવ્યું હતું.
સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિથી સમસ્ત દાદરા નગર હવેલીના થયેલા વિકાસનો ચિતાર આપ્યો હતો અને સેલવાસને સ્માર્ટ સીટી બનવાનું સૌભાગ્ય પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીથી મળ્યું હોવાનું જણાવી શહેરીજનોને મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીશ્રીની સભામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યું હતું.