June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

સેલવાસને સ્‍માર્ટ સીટી બનવાનું સૌભાગ્‍યપણ પ્રધાનમંત્રીશ્રીની દુરંદેશીથી મળ્‍યું હોવાથી તેમનો આભાર પ્રગટ કરવા મોટી સંખ્‍યામાં જોડાવા લોકોને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સેલવાસ આગમનના સંદર્ભમાં આજે સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે કાઉન્‍સિલરોની સાથે વોર્ડ નં. 1, 7 અને 8ના સાંઈધામ સોસાયટી, સાંઈ દર્શન સોસાયટી, સાંઈ ઓરા સોસાયટી અને તિરૂપતિ રેસીડેન્‍સી સોસાયટીમાં જનસભા કરી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા લોકોને આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી સમસ્‍ત દાદરા નગર હવેલીના થયેલા વિકાસનો ચિતાર આપ્‍યો હતો અને સેલવાસને સ્‍માર્ટ સીટી બનવાનું સૌભાગ્‍ય પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દુરંદેશીથી મળ્‍યું હોવાનું જણાવી શહેરીજનોને મોટી સંખ્‍યામાં પ્રધાનમંત્રીશ્રીની સભામાં ઉપસ્‍થિત રહેવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

vartmanpravah

વાપી આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્મા ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં ઝળકીઃ દોડમાં બ્રોન્‍ઝ મેળવ્‍યો

vartmanpravah

દાનહ સેલવાલના સાંસદ કલાબેન ડેલકરના પિતા સુખાલામાં સરપંચ તરીકે વિજેતાબન્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી કપરાડાના કુંભઘાટનું ધોવાણઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment