July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

પ્રધાનમંત્રી ટચુકડા સંઘપ્રદેશમાં લગભગ રૂા. 4800 કરોડથી વધુના પ્રોજેક્‍ટોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલી અને દમણ દીવની મુલાકાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી 25મી એપ્રિલના રોજ પધારી રહ્યા છે, જે દરમ્‍યાન સાયલી ગામે નવનિર્મિત મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસના કામોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લગભગ રૂા. 4800 કરોડથી વધુના પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને ભૂમિપજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે દાદરા નગર હવેલીમાં રૂા. 993.70 કરોડના 27 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ કરવામાં આવશે અને રૂા. 1797.96 કરોડના નવા 25 પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરવામા આવશે. આ ઉપરાંત દમણમાં રૂા. 481.07 કરોડના 18 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને રૂા. 1000.37 કરોડના 19 પ્રોજેક્‍ટોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તથા દીવના રૂા. 531.54 કરોડના 6 પ્રોજેક્‍ટોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કુલ 4804.64કરોડના 95 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રી 25મી એપ્રિલના રોજ સાયલી નમો મેડિકલ કોલેજ અને અન્‍ય સંલગ્ન ઈમારતોનું ઉદ્‌ઘાટન કરશે. રૂા. 203 કરોડના ખર્ચે નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટનો ભાગ બનેલી નવનિર્મિત મેડિકલ કોલેજ અને અન્‍યસુવિધાઓની મુલાકાત લીધા બાદ જાહેર સભાને સંબોધન કરશે. તેજ સ્‍થળેથી પ્રદેશના વિવિધ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને શિલાન્‍યાસ કરશે. ત્‍યારબાદ સાંજે દમણની મુલાકાત લઈ 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે. જે નવા વિકસિત દરિયાઈ માર્ગ પરથી પસાર થશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનની તૈયારી પ્રશાસનની ટીમ તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા ગામે ગામે જઈ સભાઓ કરી પ્રધાનમંત્રીશ્રીનું સ્‍વાગત કરવા પ્રદેશની જનતાને આહ્‌વાન કરવામાં આવી રહ્યુ છે. સેલવાસ શહેર તેમજ દમણ-દીવની સરકારી કચેરીઓને લાઈટિંગ કરી સજાવવામાં આવી રહ્યા છે. સાથે સાયલી ગામે સ્‍ટેજની તૈયારી અને હેલીપેડની પણ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.

Related posts

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

Leave a Comment