September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

પ્રધાનમંત્રી ટચુકડા સંઘપ્રદેશમાં લગભગ રૂા. 4800 કરોડથી વધુના પ્રોજેક્‍ટોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલી અને દમણ દીવની મુલાકાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી 25મી એપ્રિલના રોજ પધારી રહ્યા છે, જે દરમ્‍યાન સાયલી ગામે નવનિર્મિત મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસના કામોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લગભગ રૂા. 4800 કરોડથી વધુના પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને ભૂમિપજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે દાદરા નગર હવેલીમાં રૂા. 993.70 કરોડના 27 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ કરવામાં આવશે અને રૂા. 1797.96 કરોડના નવા 25 પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરવામા આવશે. આ ઉપરાંત દમણમાં રૂા. 481.07 કરોડના 18 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને રૂા. 1000.37 કરોડના 19 પ્રોજેક્‍ટોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તથા દીવના રૂા. 531.54 કરોડના 6 પ્રોજેક્‍ટોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કુલ 4804.64કરોડના 95 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રી 25મી એપ્રિલના રોજ સાયલી નમો મેડિકલ કોલેજ અને અન્‍ય સંલગ્ન ઈમારતોનું ઉદ્‌ઘાટન કરશે. રૂા. 203 કરોડના ખર્ચે નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટનો ભાગ બનેલી નવનિર્મિત મેડિકલ કોલેજ અને અન્‍યસુવિધાઓની મુલાકાત લીધા બાદ જાહેર સભાને સંબોધન કરશે. તેજ સ્‍થળેથી પ્રદેશના વિવિધ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને શિલાન્‍યાસ કરશે. ત્‍યારબાદ સાંજે દમણની મુલાકાત લઈ 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે. જે નવા વિકસિત દરિયાઈ માર્ગ પરથી પસાર થશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનની તૈયારી પ્રશાસનની ટીમ તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા ગામે ગામે જઈ સભાઓ કરી પ્રધાનમંત્રીશ્રીનું સ્‍વાગત કરવા પ્રદેશની જનતાને આહ્‌વાન કરવામાં આવી રહ્યુ છે. સેલવાસ શહેર તેમજ દમણ-દીવની સરકારી કચેરીઓને લાઈટિંગ કરી સજાવવામાં આવી રહ્યા છે. સાથે સાયલી ગામે સ્‍ટેજની તૈયારી અને હેલીપેડની પણ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.

Related posts

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

vartmanpravah

Leave a Comment