Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.05: ચીખલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી ગત 9મી જૂનના રોજ પોલીસને આઈસર ટેમ્‍પોમાં રાસાયણિક ખાતરનો જથ્‍થો શંકાસ્‍પદ જણાતા ખેતીવાડી અધિકારીને જાણ કરી ટ્રક નં.જીજે-02-એક્ષએક્ષ-7729માં લાવી બે આઈસર ટેમ્‍પો જીજે-21-વાય-1547 અને જીજે-21-ડબ્‍લ્‍યુ-3207માં ખાલી કરાયેલ યુરિયા ખાતરની બેગ નંગ 500નો 1,33,250/- રૂપિયાનો જથ્‍થો અને ત્રણ વાહનો સાથે કુલ 29,33,250/- રૂપિયાનો મુદ્દામાલ કબ્‍જે કરી બારડોલી સ્‍થિત રાસાયણિક ખાતર ચકાસણીની પ્રયોગશાળામાં સેમ્‍પલ મોકલાવતા આ ખાતરનો જથ્‍થો નિમ કોટેડ યુરિયા ખાતરનો હોવાનું પ્રાથમિક તપાસમાં જ બહાર આવતા ચીખલીના ખેતીવાડી અધિકારી ચંદુભાઈ ગાંગોડા(રહે.બારીપાડા તા.આહવા, જી.ડાંગ)ની ફરિયાદ મુજબ મોહનરામ નૈનારામ મેઘવાલ (ધંધો-ડ્રાઇવિંગ, રહે.સરાગામ, તા.સીણધરી, જી.બાડમેર, રાજસ્‍થાન), ભાવેશ પટેલ (રહે.આમલિયા તા.ગણદેવી), ધર્માંરામ ઉદારામ મેઘવાલ (રહે.રાવતસર તા.સીણધરી, જી.બાડમેર, રાજસ્‍થાન) તથા અક્ષય પટેલ દ્વારા એકબીજાની મદદગારી થી યુરિયા ખાતરનો કારભાર કરનાર ઉપરોક્‍ત ચાર સામે આવશ્‍યક ચીજવસ્‍તુ ધારા તથા આઈઓઈસીની વિવિધ કલમોની જોગવાઈ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

Related posts

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

Leave a Comment