Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

દાદરા નગર હવેલીના વિકાસ માટે આપી રહેલા યોગદાન બદલ સેલવાસન.પા. અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણ અને જિ.પં. પ્રમુખ નિશાબેન ભવરનો પણ માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના થયેલા સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પ્રગટ કરી તેમની કૃતજ્ઞતા પણ વ્‍યક્‍ત કરી હતી.
ડો. અવધેશસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રદેશ પ્રત્‍યેના અપાર સ્‍નેહ તથા પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શૈક્ષણિક ક્ષેત્રે થયેલા વિકાસથી યુવાનોનું ભવિષ્‍ય બુલંદ બની રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રે ખુલેલી નવી ક્ષિતિજના કારણે સ્‍થાનિક લોકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે દમણ, દીવ અને દાદરા નગર હવેલી એક મુખ્‍ય ટુરિસ્‍ટ ડેસ્‍ટીનેશન તરીકે ઉભરી ચુક્‍યુ છે.
યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે આજે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ પ્રદેશના વિકાસની મુક્‍ત મને કરેલી પ્રશંસાથી સમગ્ર પ્રદેશ ગૌરવાન્‍વિત થયો હોવાની લાગણી મહેસૂસ કરી હતી.
આ પ્રસંગે ડો.અવધેશસિંહ ચૌહાણે સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરનો પણ આભાર પ્રગટ કર્યો હતો. તેમણે બંનેએ પ્રદેશના વિકાસમાં આપેલા યોગદાનની પણ નોંધ લીધી હતી.

Related posts

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

vartmanpravah

જે.સી.આઈ. નવસારી દ્વારા કસ્‍બાપાર શાળામાં સમર કેમ્‍પનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

Leave a Comment