(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ કલેકટર કચેરી ખાતે સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના બાળકોને સાચવવા માટે નિર્માણ કરાયેલા ‘વાત્સલ્ય ઘોડિયાઘર’નું તા.13-10-2022ના રોજ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ એમના નાના બાળકને સાથે રાખી ઉદ્ઘાટન કર્યું હતું. અહીં સવારે 9.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી બાળકોને સાચવવામાં તેમજ એમને પોષણયુક્ત ખોરાક પણ આપવામાં આવશે. આ ઘોડિયાઘરનું સંચાલન આદર્શ મહિલા મંડળ પાથરી દ્વારા કરવામાં આવશે.