December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીના જાણીતા તબીબ હોસ્‍પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.16
ચીખલીના જાણીતા તબીબ હોસ્‍પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીની અમી હોસ્‍પિટલના તબીબ રાજેશભાઇ લાલજીભાઈ પટેલ (ઉ.વ-56) (રહે.દેવદર્શન સોસાયટી સમરોલી તા.ચીખલી) 15-માર્ચ મંગળવારના રોજ સવારે દસેક વાગ્‍યાના અરસામાં સમરોલી નેશનલ હાઇવે સ્‍થિત તેમની હોસ્‍પિટલમાં ગયા હતા અને બપોરે ધરે આવી જમીને આરામ કરીને ફરી પાંચેક વાગ્‍યે હોસ્‍પિટલમાં ગયા હતા.
બાદમાં સાંજે નવેક વાગ્‍યા સુધીમાં પરત ન ફરતા મોબાઈલ ફોન પણ બંધ આવતા તેમના દીકરાએ અમી હોસ્‍પિટલ પર જઇ સીસીટીવી ફૂટેજ તપાસતા ડો.રાજેશભાઇ પટેલ સવા આઠેક વાગ્‍યે ચાલવા માટે નીકળ્‍યા હતા.અને તરત ફરી હોસ્‍પિટલમાં આવી તેમની ટોયોટા ઇટિયોસ કાર નં.જીજે-21-એએ-3845 લઈને કયાંક જતા જણાઈ આવેલ બાદમાં સગાસંબંધી અને મિત્રોના ધરે તપાસ કરતા તેઓ મળી આવેલ નહિ. તેઓ રંગે શ્‍યામવર્ણ અને આશરે ઊંચાઈ પાંચ ફૂટ સાત ઇંચ છે. શરીરે સફેદ તથા ભુરિપટ્ટી વાળો શર્ટ તથાકાળા રંગનો પેન્‍ટ પહેરેલ છે.
અમી હોસ્‍પિટલના તબીબ રાજેશભાઇ વર્ષોથી હોસ્‍પિટલ ચલાવે છે અને તેમના સરળ સ્‍વભાવ સાથે ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોસ્‍પિટલના ખર્ચમાં ઉદારતા દાખવતા આવ્‍યા છે અને જેને લઈને ચીખલી-વાંસદા સહિત સમગ્ર વિસ્‍તારમાં જાણીતા છે. ત્‍યારે તેમના ગુમ થયા અંગેની વાટ વાયુવેગે ફેલાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળવા પામ્‍યું છે.
પોલીસે તપાસ હાથ ધરી છે,ત્‍યારે આ જાણીતા તબીબ કયા કારણોસર ગુમ થયા તે સહિતની વિગત તપાસ બાદ જ ખબર પડશે.

Related posts

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્‍કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્‍યાએ બસ ચાંદ જ ચાંદ

vartmanpravah

વાપીમાં ત્રણ સ્‍થળોએ નવરાત્રિ રમઝટના આયોજન : આ વર્ષની નવરાત્રિમાં ઘણા બધા નવિન આકર્ષણ જોવા મળશે

vartmanpravah

ચીખલીના વંકાલમાં સહકારી મંડળીને ગૌચરણની જમીનમાં ગોડાઉન બાંધવા માટે ફાળવેલ જગ્‍યામાં શરત ભંગ થતા કલેક્‍ટર દ્વારા સરકાર હસ્‍તક પરત લઈ શીર પડતર હેડે દાખલ કરવાનો હુકમ કરાયો

vartmanpravah

પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah

Leave a Comment