March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

  • પતિ નોકરી ધંધો ન કરી પરિવારના સભ્યો પર ત્રાસ ગુજારતો હોવાથી ૧૮૧ પર પત્નીએ કોલ કર્યો હતો

  • બંનેએ ૧૭ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલમાં બે સંતાનો છે

વલસાડ તા. ૨૬ એપ્રિલ : ઉમરગામ તાલુકાના શહેરી વિસ્તારમાંથી એક પરિણીતા બેરોજગાર પતિના વ્યસનના ત્રાસથી કંટાળી માનસિક રીતે પડી ભાંગી હતી. છેવટે ૧૮૧ અભયમને  વ્યથા જણાવતા ટીમે ઘટના સ્થળે પહોંચી પતિનું કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

       ઉમરગામની પરિણીતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, ૧૭ વર્ષ પહેલા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. હાલમાં બે બાળકો છે. ઘણા સમયથી મજૂરી કામ માટે બહારગામ રહેતા હોવાથી પોતાનું મકાન નથી અને ભાડાના મકાનમાં રહે છે. લગ્નનાં થોડાં સમય સુધી પતિ નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો પરંતુ થોડા સમય બાદ વ્યસનની આદત પડતા નોકરી ધંધો કરતો ન હતો. નોકરી જવા માટે જણાવવામાં આવે તો થોડા દિવસ નોકરી કરીને બાદમાં છોડી દે છે. હાલમાં પરિણીતા પોતે નોકરી કરી સાસુ અને બાળકોનું ભરણપોષણ કરે છે. પતિ ખૂબ જ વ્યસન કરી પરિવારના સભ્યોને હેરાન કરતો આવ્યો છે. ઘણા સમયથી આવી જ પરિસ્થિતિ હોવાથી ઘણા મહિનાથી મકાનનું ભાડું પણ ભરાયુ નથી. જે અંગે પતિને જણાવે તો ઝઘડો કરતો હતો. અનેકવાર સમજાવવા છતાં પતિ કોઈપણ બાબતે સમજવા રાજી ન થતાં છેવટે ત્રાસી જઈ 181 ટીમની મદદ માંગી હતી. અભયમની ટીમે પતિ સાથે રૂબરૂ વાતચીત કરી અને સમજાવવાની કોશિશ કરી હતી. પતિ ઘરમાં એક માત્ર જવાબદાર વ્યક્તિ હોવાથી પોતાની ફરજ અદા કરવા માટે સમજાવી વ્યસન કરવાથી લાંબા ગાળે સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે જેના કારણે પરિવારના સભ્યો ઉપર અને બાળકના ભવિષ્ય ઉપર પણ વિપરીત અસર થાય છે. આમ પતિને પોતાની ભૂલ સમજાતા પરિવારની માફી માંગી અને હવે પછી વ્યસન ન કરવા માટે ખાતરી આપી અને એક જવાબદાર વ્યક્તિ બની પરિવારની સાર સંભાળ લેવા જણાવી પોતાને જવાબદારીનો અહેસાસ કરાવવા બદલ 181 ટીમનો આભાર માન્યો હતો.

Related posts

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

vartmanpravah

વાપીથી એરગન રાખનાર ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડયો

vartmanpravah

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

Leave a Comment