March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

  • અરજદારોએ રસ્તા, સ્ટ્રીટલાઈટ, સફાઈ, શૌચાલય, રખડતા ઢોર સહિતના પ્રશ્નો રજૂ કર્યા

  • અરજદારોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઈ

વલસાડ તા. ૨૬ એપ્રિલ : પ્રજા અને સરકાર વચ્ચેનું અંતર દૂર કરવામાં સ્વાગત કાર્યક્રમ ખરા અર્થમાં કડી રૂપ બન્યો છે. તા. ૨૩ એપ્રિલ ૨૦૦૩માં શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં સ્વાગત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વલસાડ તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૬ એપ્રિલે બુધવારે વલસાડ તાલુકા મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કુલ ૩૫ અરજી આવી હતી. જેમાંથી ૨૭ અરજીનો સ્થળ પર નિકાલ કરાતા સરકારના લોકાભિમુખ વહીવટ પર મુકેલો અરજદારોનો વિશ્વાસ પરિપૂર્ણ થયો હતો.

સ્વાગત સપ્તાહની ઉજવણીમાં સરકાર અને પ્રજા બંને સહભાગી થતા સુશાસનની શ્રેષ્ઠ મિશાલ જોવા મળી રહી છે. સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની સમસ્યાનું અધિકારીઓ દ્વારા પોઝિટિવ અભિગમ સાથે સ્વાગત કરાતા લોકો સરકારના અભિગમને સહર્ષ બિરદાવી રહ્યા છે. આજે બુધવારે વલસાડ મામલતદાર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૩૫ અરજી આવી હતી. જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદન થતી જમીનનો એવોર્ડ વળતર, હાલર રોડ પર રખડતા ઢોર, સરકારી વસાહતમાં કુતરા, ભુંડ અને ગાયોના ત્રાસ, સરકારી જમીનમાં બનાવેલા બોર, વલસાડ પારડીમાં ગટરના ઢાંકણ, છીપવાડ દાણા બજારમાં પાણી ભરાવાની સમસ્યા, છીપવાડ વાવડીમાં જર્જરિત શૌચાલય, દાણા બજારમાં ગંદકી, અબ્રામા વાવ ફળિયામાં ચોમાસામાં પાણીનો ભરાવો, સ્ટ્રટી લાઈટ, રસ્તા, ખેતીવાડીમાં ડાંગરનું બિયારણ આપવુ, ઓવાડા ગામમાં તળાવ, હાઈવેના રસ્તા પર અંડરપાસ બનાવવો, ઔરંગા નદીનું ધોવાણ અટકાવવુ, ધમડાચી પીરૂ ફળિયામાં આંગણવાડી પાસે વીજ પોલ ખસેડવો, પારડી પારનેરા ગામમાં ફોરેસ્ટની જમીનમાંથી અનઅધિકૃત રીતે વૃક્ષો કાપી વેચી દેવા, સેગવામાં બામ ખાડીને ઉંડી કરવી અને વરસાદી પાણીનો નિકાલ, લક્ષ્મીનગર તેમજ જુના કોસંબા રોડ પર આવતુ પાલિકાનું ગંદુ પાણી અટકાવવુ, ભાગડાવડા ગામે ખાજણ ફળિયામાં ખેતીની જમીનમાં ખારુ પાણી અટકાવવું અને ઓઝર પ્રાથમિક શાળામાં નવા ઓરડા બનાવવા સહિતના પ્રશ્નો કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અરજદારો સાથે ચર્ચાયા હતા. કલેકટરશ્રીએ અરજદારોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સમય મર્યાદામાં ઘટતી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આજના આ સ્વાગત કાર્યક્રમમાં જેમાંથી ૨૭ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યો હતો. જ્યારે ૮ પ્રશ્નોનો પેન્ડિંગ રહ્યા હતા. અરજદારોના વિવિધ પ્રશ્નો ઉકેલાતા તેઓએ ખુશી તો વ્યકત કરી હતી સાથે રાજ્ય સરકારશ્રીનો પણ આભાર માન્યો હતો.

        સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, વલસાડ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ,  મામલતદાર (સિટી) કલ્પના ચૌધરી, મામલતદાર (ગ્રામ્ય) તેજલ પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.25: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્‍થાનના કલાકારોને પરંપરાગત નૃત્‍યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્‍તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્‍તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્‍વાગત સાથે ઉપસ્‍થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્‍ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું.

vartmanpravah

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

vartmanpravah

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

vartmanpravah

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

Leave a Comment