Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તેમની દીવ મુલાકાતના બીજા દિવસે જલંધર સર્કિટ હાઉસ ખાતે આવેલા ઈન્ફિનિટી સ્વિમિંગ પુલ અને નવીનીકરણ થઈ રહેલા દીવના કિલ્લાની મુલાકાત લઈ અધિકારીઓને આપેલા જરૂરી દિશા નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ,તા.૨૭: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે તેમની દીવ મુલાકાતના બીજા દિવસે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ, સ્થળ જલંધર સર્કિટ હાઉસ ખાતે આવેલા ઈન્ફિનિટી સ્વિમિંગ પુલ અને નવીનીકરણ થઈ રહેલા દીવના કિલ્લાની મુલાકાત લીધી હતી અને યોગ્ય ગુણવત્તા જાળવવા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે તમામ કામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં કરવા સીધી સૂચના આપી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં યોજાનાર G20ની બેઠક અંગેની તમામ તૈયારી અને તમામ વ્યવસ્થા બાબતે ખાસ ધ્યાન આપવા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર, દીવના કલેક્ટર શ્રી ફરમન બ્રહ્મા સહિતના અધિકારીઓ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

vartmanpravah

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

vartmanpravah

Leave a Comment