Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

તરીયાવાડના યુવાનોએ અથાગ મહેનત કરી ક્ષતિગ્રસ્‍ત મુર્તિઓને દૂર દરિયામાં હોડીમાં લઈ જઈ વિસર્જન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: મંગળવારે અનંત ચૌદશના દિવસે વલસાડ શહેરની નાની મોટી 350 ઉપરાંત શ્રીજીની મૂર્તિઓ ઔરંગા નદીમાં ભાવિકોએ શ્રધ્‍ધાપૂર્વક વિસર્જન કર્યું હતું. આજે બીજા દિવસે વલસાડ તરીયાવાડના સેવાભાવી યુવાનોએ ક્ષતવિક્ષત કિનારે પડી રહેલી મૂર્તિઓનું વિસર્જન કરીને કિનારો ચોખ્‍ખો કર્યો હતો.
મોટા ભાગે ગણેશ વિસર્જનના બીજા દિવસે શ્રીજીની મૂર્તિઓ દરિયા કે નદી કિનારે વિક્ષત હાલતમાં જોવા મળે છે. અખબારોમાં તસવીરો પણ છપાય છે. આસ્‍થા સાથે ચેડા થયેલી સ્‍થિતિ દરેક વર્ષે જોવા મળે છે તેથી આ કલંકને નેસ્‍ત નાબૂદ કરવાનું બીડુ વલસાડ તરીયાવાડના સેવાભાવી યુવાનોએ ઝડપ્‍યું હતું. આજે ઔરંગા નદીમાં વિસર્જીત કરાયેલી 350 ઉપરાંત શ્રીજી મૂર્તિઓ પૈકી જે મૂર્તિઓનું પુર્ણ વિસર્જન થયું નહોતુ તેવી મૂર્તિઓને અથાગ મહેનત કરી રી-વિસર્જન કરી હતી.મોટી મૂર્તિઓને બોટ કે હોડીમાં ઊંડે દરિયામાં લઈ જઈને વિસર્જીત કરી હતી. તેથી ઔરંગા નદીનો કિનારો આજે ચોખ્‍ખો થઈ ગયો હતો. એકપણ મૂર્તિ ખરાબ સ્‍થિતિમાં જોવા મળી નથી. વલસાડમાં વિસર્જનની શ્રેષ્‍ઠ કામગીરી પોલીસ, ફાયર અને સફાઈ કામદારોએ સુપેરે પાર પાડી હતી.

Related posts

દીવ બાલ ભવનના બાળકોને “TIE & DYE”Workshop નો લાભ મળ્‍યો…

vartmanpravah

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

vartmanpravah

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

vartmanpravah

Leave a Comment