April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

તરીયાવાડના યુવાનોએ અથાગ મહેનત કરી ક્ષતિગ્રસ્‍ત મુર્તિઓને દૂર દરિયામાં હોડીમાં લઈ જઈ વિસર્જન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: મંગળવારે અનંત ચૌદશના દિવસે વલસાડ શહેરની નાની મોટી 350 ઉપરાંત શ્રીજીની મૂર્તિઓ ઔરંગા નદીમાં ભાવિકોએ શ્રધ્‍ધાપૂર્વક વિસર્જન કર્યું હતું. આજે બીજા દિવસે વલસાડ તરીયાવાડના સેવાભાવી યુવાનોએ ક્ષતવિક્ષત કિનારે પડી રહેલી મૂર્તિઓનું વિસર્જન કરીને કિનારો ચોખ્‍ખો કર્યો હતો.
મોટા ભાગે ગણેશ વિસર્જનના બીજા દિવસે શ્રીજીની મૂર્તિઓ દરિયા કે નદી કિનારે વિક્ષત હાલતમાં જોવા મળે છે. અખબારોમાં તસવીરો પણ છપાય છે. આસ્‍થા સાથે ચેડા થયેલી સ્‍થિતિ દરેક વર્ષે જોવા મળે છે તેથી આ કલંકને નેસ્‍ત નાબૂદ કરવાનું બીડુ વલસાડ તરીયાવાડના સેવાભાવી યુવાનોએ ઝડપ્‍યું હતું. આજે ઔરંગા નદીમાં વિસર્જીત કરાયેલી 350 ઉપરાંત શ્રીજી મૂર્તિઓ પૈકી જે મૂર્તિઓનું પુર્ણ વિસર્જન થયું નહોતુ તેવી મૂર્તિઓને અથાગ મહેનત કરી રી-વિસર્જન કરી હતી.મોટી મૂર્તિઓને બોટ કે હોડીમાં ઊંડે દરિયામાં લઈ જઈને વિસર્જીત કરી હતી. તેથી ઔરંગા નદીનો કિનારો આજે ચોખ્‍ખો થઈ ગયો હતો. એકપણ મૂર્તિ ખરાબ સ્‍થિતિમાં જોવા મળી નથી. વલસાડમાં વિસર્જનની શ્રેષ્‍ઠ કામગીરી પોલીસ, ફાયર અને સફાઈ કામદારોએ સુપેરે પાર પાડી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

વાપી જીઆઈડીસી ફર્સ્‍ટ ફેઈઝમાં આવેલ ડાઈંગ કંપની દ્વારા ગ્રીન સ્‍પેસ પર કબજો કરી પાર્કિંગ ઉભું કરી નાખ્‍યું

vartmanpravah

નવસારી જિલ્લાના કસ્‍બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂા.110 કરોડના ખર્ચે પૂર્ણા ટાઈડલ રેગ્‍યુલેટર ડેમ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

vartmanpravah

Leave a Comment