July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ અનાવિલ સમાજ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં વાર્ષિક સ્‍નેહ મિલન કાર્યક્રમ જુદા જુદા આયોજનો થકી કરવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમ મહાનુભાવો સર્વશ્રી પ્રમુખ સમીર દેસાઈ, ઉપ પ્રમુખ ગૌત્તમ દેસાઈ, મંત્રી આશિષ દેસાઈ, મેહુલભાઈએ દિપ પ્રાગટય કર્યું હતું. કાર્યક્રમમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ આગામી 10મી મેના રોજ ઈચ્‍છા બાની વાડીમાં સમુહ યજ્ઞોપવિતનું આયોજન તથા સ્‍વ.કે.આર. દેસાઈ ટેનિસ ટૂર્નામેન્‍ટ આગામી તા.26-28મેના રોજ યોજાશે તેવી સભામાં જાહેરાત કરાઈ હતી. પ્રોજેક્‍ટ ચેરમેન ગીતાબેન દેસાઈ, હિતેન દેસાઈ અને હિનાબેન દેસાઈએ કાર્યક્રમની સફળતા માટે સરાહનિય જહેમત ઉઠાવી હતી. બાળકો માટે રમતગમત અને સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ખેતીના સાધનોની દિનપ્રતિદિન વધતી ચોરી અટકાવવા ચીખલી મજીગામમાં સ્‍થાનિકોએ રાજ્‍યના ગૃહમંત્રી, ડીએસપીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

vartmanpravah

Leave a Comment